Gujarat

ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારની લાલ આંખ

સુરત
ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, મરચાં પાવડર, હળદર પાવડર, ધાણા જીરૂ પાવડર, ગ્રીન કલર, યલો કલર મળીને અંદાજીત રૂ. ૩,૯૮,૨૨૦/-નો આશરે ૩૦૫૭.૪ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સુરતના કડોદરા ખાતેથી જપ્ત કરાયો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજાેના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
કમિશનર કોશિયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, તાજેતરમાં ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા મરચાં પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરુંમાં ચોખાની કુશકી તથા કલરની થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડ આચરનાર વેપારી જૈન દિલીપકુમાર પુખરાજભાઈ, મે.જે.ડી એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ૨૮-૨૯ સૃષ્ટી ઇન્ડ. એસ્ટેટ, મુ.કડોદરા, તા. પલાસાણા, જિ. સુરતની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર મરચાં પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરુ પાવડરનું ઉત્પાદન થતું જાેવા મળ્યું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડરમાં કલર તથા ચોખાની કુશ્કીની ભેળસેળ કરતાં હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત હળદર પાવડર અને ધાણાજીરૂમાં કલરની ભેળસેળ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટીએ જાેવા મળતું હતું. જેમાં તપાસ દરમિયાન સ્થળ પર “ર્ંૈંન્ ય્ઇઈઈદ્ગ ય્ ર્ઝ્રંદ્ગઝ્ર”નો ૮ કિલોગ્રામ જથ્થો તથા “ર્ંૈંન્ રૂઈન્ન્ર્ંઉ સ્ ર્ઝ્રંદ્ગઝ્ર” કલરનો ૯. ૪ કિલોગ્રામ જ્થ્થો સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડ્યો છે. વેપારી ધ્વારા મરચાં પાવડર જીેંઁઈઇ ૭ ડ્ઢછરૂજી ઇઈડ્ઢ ઝ્રૐૈંન્ન્ૈંઈજી રુઙ્ઘીિ લેબલથી પેક કરતા હતા જેના પર ઉત્પાદક તરીકે “જીેॅીિ જીીદૃીહ ડ્ઢટ્ઠઅજ ઁિર્ઙ્ઘેષ્ઠં, ૈંહઙ્ઘૈટ્ઠ” દર્શાવવામાં આવતું હતું, તેમજ ધાણા પાઉડર ૐૈહઙ્ઘટ્ઠદૃટ્ઠ મ્ટ્ઠિહઙ્ઘ ર્ઝ્રિિીહઙ્ર્ઘીિ ઁુઙ્ઘીિ ના પેકીંગ ઉપર “ય્ેદ્ઘટ્ઠટ્ઠિં છખ્તિર્ ૈંહઙ્ઘેજંિૈીજ, સ્ટ્ઠિાીં રૂટ્ઠઙ્ઘિ, ેંહદ્ઘરટ્ઠ (ય્ેદ્ઘટ્ઠટ્ઠિં)” ખોટું સરનામું છાપવામાં આવતું હતું. આમ, બંને પેકીંગ ઉપર ખોટું સરનામું દર્શાવીને પેકીંગ થતું હતું. વધુમાં સ્થળ પરથી મરચાં પાવડર-૦૨, હળદર પાવડર -૦૧ અને ધાણા જીરૂ પાવડર-૦૧, ગ્રીન કલર- ૦૧, યલો કલર- ૦૧ મળીને કુલ-૦૬ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે જ્યારે બાકીનો આશરે ૩૦૫૭.૪ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૩,૯૮,૨૨૦/-(અંકે રુપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર બસ્સો વીસ) થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે તેમ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *