National

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે

નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવવા માટે કોન્ક્‌લેવ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (૨૧ ફેબ્રુઆરી) સવારે ૧૧ વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમમાં ર્જીંેંન્ લીડરશીપ કોન્ક્‌લેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. ભૂટાનના વડા પ્રધાન દશો શેરિંગ તોબગે અતિથિ વિશેષ તરીકે મુખ્ય ભાષણ આપશે.

૨૧થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત બે દિવસીય SOUL લીડરશીપ કોન્ક્‌લેવ એક પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જેમાં રાજકારણ, રમતગમત, કળા અને મીડિયા, આધ્યાત્મિક વિશ્વ, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક ક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રોના નેતાઓ તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ વહેંચશે અને નેતૃત્વ સાથે સંબંધિત પાસાઓ પર ચર્ચા કરશે. આ કોન્ક્‌લેવ સહયોગ અને વૈચારિક નેતૃત્વની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે, જે યુવા પ્રેક્ષકોને પ્રેરિત કરવા માટે નિષ્ફળતાઓ અને સફળતાઓ બંનેમાંથી શીખવાની સુવિધા આપશે.

સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ એ ગુજરાતની એક આગામી નેતૃત્વ સંસ્થા છે જે અધિકૃત નેતાઓને જાહેર હિતને આગળ વધારવા માટે સક્ષમ બનાવે છે. તેનો ઉદ્દેશ ઔપચારિક તાલીમ દ્વારા ભારતમાં રાજકીય નેતૃત્વના લેન્ડસ્કેપને વિસ્તૃત કરવાનો છે અને માત્ર રાજકીય વંશમાંથી જ નહીં, પરંતુ લાયકાત, પ્રતિબદ્ધતા અને જાહેર સેવા પ્રત્યેની ધગશમાંથી બહાર આવેલા લોકોને સામેલ કરવાનો છે. SOUL આજના વિશ્વમાં નેતૃત્વના જટિલ પડકારોને પાર પાડવા માટે જરૂરી આંતરદૃષ્ટિ, કુશળતા અને કુશળતા લાવે છે.