Gujarat National

નવરાત્રી બીજું નોરતું માતા બહ્મચારિણી પૂજા વિધિ કરવામાં આવે છે

નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતાજીના નવ દુર્ગા સ્વરૂપમાં દેવી બ્રહ્મચારિણી નંબર આવે છે. બ્રહ્મચારિણી શબ્દ બ્રહ્મ અને ચારિણી શબ્દ માંથી બનેલો છે. બહ્મ એટલે તપસ્યા અને ચાણિમી એટલે આચરણ કરનાર આમ બ્રહ્મચારિણીનો અર્થ તપનું આચરણ કરનાર દેવી એવો થાય છે. માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપને દેવી પાર્વતીનું અવિવાહિત રૂપ માનવામાં આવે છે. […]

National

પાકિસ્તાનની ગતિશીલતાને સમજવા પર ઓનલાઈન સર્ટિફિકેટ પ્રોગ્રામ

સેન્ટર ફોર ઈન્ડિયાઝ નેબરહુડ એન્ડ ઈન્ટરનલ સિક્યુરિટી સ્ટડીઝ (CINISS), સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ કોઓપરેશન, સિક્યુરિટી એન્ડ સ્ટ્રેટેજિક લેંગ્વેજ (SICSSL) ના નેજા હેઠળ, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ‘પાકિસ્તાનની ગતિશીલતાને સમજવા‘ પર તેનો ૬ દિવસનો ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ શરૂ થયો. આ કોર્સનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની રાજકીય, આર્થિક, સુરક્ષા અને વંશીય ગતિશીલતા અને ભારત અને પ્રદેશ પર તેના પ્રભાવોની […]

Gujarat

પ્રધાનમંત્રીના સ્મૃતિચિહ્નો ઈ-ઓક્શનની ૭મી આવૃત્તિમાં ગુજરાત હસ્તકલા અને વારસાની ઉજવણી

PM સ્મૃતિચિહ્નો ઈ-ઓક્શનની ૭મી આવૃત્તિમાં ગુજરાતની હસ્તકલા અને સંસ્કૃતિનો સમૃદ્ધ ઇતિહાસ ઝળકે છે, જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવેલી ૧,૩૦૦થી વધુ ભેટોમાંથી રાજ્યની ૮૬ ખાસ વસ્તુઓનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં શરૂ કરાયેલ, ઈ-ઓક્શન ભારતભરના નાગરિકોને માનનીય પ્રધાનમંત્રીને ભેટમાં આપવામાં આવેલી ખાસ વસ્તુઓ માટે બોલી લગાવવાની મંજૂરી આપે છે. હરાજીમાંથી મળેલી બધી રકમનો […]

National

સંરક્ષણ મંત્રીએ મોરોક્કોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી; ઓપરેશન સિંદૂરમાં ભારતના સંયમ અને સંકલ્પ પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે ૨૧ સપ્ટેમ્બર,૨૦૨૫ના રોજ મોરોક્કોના રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. ભારતીય સમુદાયે ઓપરેશન સિંદૂર દરમિયાન નિર્ણાયક કાર્યવાહી બદલ સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર થયેલા કાયર હુમલા બાદ સશસ્ત્ર દળો સંપૂર્ણપણે તૈયાર હતાં અને તેમને જવાબ આપવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં […]

National

પ્રધાનમંત્રી મોદી ત્રિપુરામાં: પ્રધાનમંત્રી ઉદયપુરમાં માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલમાં પ્રદર્શનની મુલાકાત લે છેે

પ્રધાનમંત્રી મોદીએ અરુણાચલ પ્રદેશમાં ૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરા પહોંચ્યા, જ્યાં તેમણે ઉદયપુરમાં પુન:વિકસિત માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલનું ઉદ્ઘાટન કર્યું. દિવસની શરૂઆતમાં, તેઓ અરુણાચલ પ્રદેશ ગયા, જ્યાં તેમણે ૫,૧૨૫.૩૭ કરોડ રૂપિયાના માળખાકીય પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું. તેમણે એક રેલીને પણ સંબોધિત કરી, જ્યાં તેમણે કોંગ્રેસ પર […]

National

લોન્ચિંગ પહેલા CISF એ નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા સંભાળી; ૧૨૦ કર્મચારીઓ તૈનાત

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ સોમવારે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા કમાન સંભાળી લીધી. ૩૦ ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન થનારા એરપોર્ટની સુરક્ષા માટે ૧૨૦ જેટલા ઝ્રૈંજીહ્લ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ભારતનું ૭૦મું એરપોર્ટ છે. આ ઉપરાંત, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પછી, તે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર માં બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. “૨૨ […]

National

અલગ – અલગ દાવાઓ વચ્ચે ઝુબીન ગર્ગનું આજે ગુવાહાટીમાં ફરી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે: આસામના મુખ્યમંત્રી

ગયા અઠવાડિયે સિંગાપોરમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા આસામી ગાયિકા અને આઇકોન ઝુબીન ગર્ગનું શબપરીક્ષણ મંગળવારે ગુવાહાટીમાં તેમના અંતિમ સંસ્કાર પહેલા ફરીથી કરવામાં આવશે, એમ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે જાહેરાત કરી હતી. એક પત્રકાર પરિષદમાં બોલતા, સરમાએ જણાવ્યું હતું કે ગાયિકા ઝુબીન ગર્ગનું શબપરીક્ષણ ૨૩ સપ્ટેમ્બરની સવારે ગૌહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે કરવામાં આવશે, […]

National

UAPA કેસમાં શરજીલ ઇમામ અને ઉમર ખાલિદને જામીન આપવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યા બાદ જીઝ્રએ દિલ્હી પોલીસને નોટિસ ફટકારી

દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામ અને ઉમર ખાલિદ સહિત ૨૦૨૦ ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના આરોપીઓની જામીન અરજી ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. અરજદારો – શરજીલ ઈમામ, ઉમર ખાલિદ, ગુલ્ફીશા ફાતિમા, મીરાં હૈદર અને શિફા ઉર રહેમાન – એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કથિત મોટા કાવતરાના કેસમાં તેમને જામીન […]

National

છત્તીસગઢના નારાયણપુરમાં એન્કાઉન્ટરમાં ૧ નક્સલી ઠાર, આ વર્ષે અત્યાર સુધીમાં ૨૪૮ નક્સલીઓ ઠાર

સોમવારે છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓ સાથેની અથડામણમાં એક નક્સલી માર્યો ગયો, એમ પોલીસે જણાવ્યું હતું. મહારાષ્ટ્રને અડીને આવેલા અભુજમાડ વિસ્તારમાં એક જંગલમાં સવારે સુરક્ષા દળોની એક ટીમ સર્ચ ઓપરેશન પર હતી ત્યારે ગોળીબાર શરૂ થયો હતો, એમ અહીંના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. નક્સલીઓ વિશેની માહિતીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પોલીસે જણાવ્યું […]

International

ઓપરેશન સિંદૂર દરમિયાન છોડવામાં આવેલી પાકિસ્તાની મિસાઇલનો કાટમાળ દાલ તળાવમાંથી મળ્યો, તપાસ માટે મોકલવામાં આવ્યો

અધિકારીઓએ જણાવ્યું હતું કે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન દાલ તળાવમાં વિસ્ફોટ થયેલા શેલના અવશેષો શનિવારે સફાઈ અભિયાન દરમિયાન મળી આવ્યા હતા. લેક કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી ની ટીમોએ જળાશયની સફાઈ કરતી વખતે શેલના અવશેષો શોધી કાઢ્યા હતા. કાટમાળ નજીકના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો, જ્યાં તેને વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી માટે રાખવામાં આવ્યો […]