Gujarat

માંગરોળમાં રહેતા તન્ના પરિવારને શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા સ્વ.રૂપવતીબેનનું ચક્ષુદાન પ્રમાણપત્ર અર્પણ કરાયું

માંગરોળમાં રહેતા સિંધી સમાજના(માધવ કરિયાણાવાળા)સ્વ.રૂપવતીબેન કુંદનદાસ તન્ના(કારેમા મુખ્યાણી)નું તા.08.02.2025 ના રોજ દુઃખદ અવસાન થયુ હતું. આ દુઃખદ સમયે તેમના પરિવારની ઈચ્છા થી તેમના ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. તા.20.02.2025  ના રોજ માંગરોળ સમસ્ત સિંધી સમાજ નવયુવક મંડળના પ્રમુખશ્રી પ્રકાશભાઈ લાલવાણીએ શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ આઈ બેંકના માધ્યમથી તેમના નિવાસસ્થાને સ્વ.રૂપવતીબેનના ચક્ષુદાનનું પ્રમાણપત્ર તેમના પરિવારને અર્પણ […]

Gujarat

જામનગર: દિલ્લીના બે સખ્સોએ બ્રાસ ઉદ્યોગકારનું ર૧ લાખનું કરી નાખ્યું

જામનગરના બ્રાસ કારખાનેદાર સાથે વ્યવસાયિક સબંધો બાંધી દિલ્લીના બે સખ્સોએ બ્રાસનો માલ લઇ પૂરું પેમેન્ટ ન ચૂકવી છેતરપીડી આચારી હોવાની ફરિયાદ પંચ્ચોસી બી ડીવીજન પોલીસ મથકે નોંધાવી છે. રૂપિયા ૩૧.૩૬ લાખનો માલ લઇ બંને વેપારીઓએ દશેક લાખનું પેમેન્ટ ચૂકવી દીધા બાદ બાકી રહેતી રકમ ન ચૂકવી અને રકમ ભૂલી જવા કહ્યું હતું પોલીસે બંને સખ્સો […]

National

દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાયો નવા મુખ્યમંત્રીનો ભવ્ય શપથવિધિ સમારોહ

શપથવિધિ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ સહિત એનડીએ ના દિગ્ગજાે રહ્યાં હાજર શાલીમાર બાગ વિધાનસભા બેઠકથી વિજેતા બનેલા રેખા ગુપ્તા એ રામલીલા મેદાનમાં દિલ્હી રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા સાથે જ ૬ નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નવા મંત્રીઓમાં પરવેશ વર્મા (નવી દિલ્હી), મનજિંદર સિંહ સિરસા (રાજૌરી ગાર્ડન), રવિંદર કુમાર ઈન્દ્રાજ […]

Gujarat

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમની કારમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમની કારમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસને ઈમેઈલ દ્વારા એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ધમકી બાદ મહારાષ્ટ્ર પોલીસે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હીમાં હતા ત્યારે શિવસેનાના નેતા એકનાથ […]

National

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS)ના પાયલોટ તબક્કાના બીજા રાઉન્ડની શરૂઆત સાથે ફરી એકવાર અરજીઓ ખુલી

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PMIS) પાયલોટ તબક્કાના બીજા રાઉન્ડના શુભારંભ સાથે ફરી એકવાર અરજીઓ કરવા માટે ખુલી છે. પહેલા રાઉન્ડ ૬ લાખથી વધુ અરજીઓ પછી, બીજા તબક્કામાં ભારતના ૭૩૦થી વધુ જિલ્લાઓમાં ટોચની કંપનીઓમાં ૧ લાખથી વધુ ઇન્ટર્નશિપ તકો પ્રદાન કરવામાં આવી રહ્યાં છે. ઓઈલ, ગેસ અને ઉર્જા; બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, મુસાફરી અને આતિથ્ય, ઓટોમોટિવ, ધાતુઓ […]

National

પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના પરિચયપત્રો રજૂ કર્યા

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં પનામા, ગુયાના, સુદાન, ડેન્માર્ક અને પેલેસ્ટાઇનનાં રાજદૂતો/હાઈ કમિશનરો પાસેથી પરિચય પત્રો સ્વીકાર્યાં હતાં. જેમણે તેમના પરિચય પત્રો રજૂ કર્યા હતા તે આ મુજબ હતાઃ ૧. મહામહિમ શ્રી એલોન્સો કોરિયા મિગ્યુએલ, રિપબ્લિક ઓફ પનામાના રાજદૂત ૨. મહામહિમ શ્રી ધરમકુમાર સીરાજ, સહકારી પ્રજાસત્તાક […]

National

MUDA જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને લોકાયુક્તે ક્લીનચીટ આપી

મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) સંબંધિત જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મોટી રાહત મળી છે. લોકાયુક્તે તેમને ક્લીનચીટ આપી છે. આ કેસમાં લોકાયુક્તને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની પત્ની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.તેમની સામેની તપાસ હવે પૂર્ણ થઈ ગઈ […]

National

રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી દિલ્હીને ચોથા મહિલા મુખ્યમંત્રી મળ્યા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ શપથ લેવડાવ્યા દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા એ રામલીલા મેદાન ખાતે શપથ લીધા હતા, ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી છે. ગુરુવારે રામલીલા મેદાનમાં યોજાનાર સમારોહમાં તેઓ દિલ્હીના નવા મુખ્યપ્રધાન […]

National

તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર મેડીગડ્ડા બેરેજ ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર વ્યક્તિ ની હત્યા

ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારની છરીથી ઘાતક હુમલો કરું હત્યા કરવામાં આવી તેલંગાણામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર મેડીગડ્ડા બેરેજના ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર વ્યક્તિની તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા, ખૂબ મહત્વનું છે કે જ્યારે ગુરુવારે કોર્ટમાં કેસની સુનાવણી થવાની હતી. આ બેરેજ કાલેશ્વરમ પ્રોજેક્ટનો ભાગ છે, અને આ […]

National

દિલ્હી ઈન્ટરનેશનલ લેધર એક્સ્પોની ૬ઠ્ઠી આવૃત્તિ IICC, યશોભૂમિ ખાતે શરૂ

કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્‌સ (ઝ્રન્ઈ) ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર IICC), યશોભૂમિ, દ્વારકા, નવી દિલ્હી ખાતે દિલ્હી ઇન્ટરનેશનલ લેધર એક્સ્પો – રિવર્સ બાયર સેલર મીટ (ઇમ્જીસ્ ની ૬ઠ્ઠી આવૃત્તિનું આયોજન કરી રહી છે, જેમાં માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ હેઠળ ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય મળશે. આ ઐતિહાસિક આયોજન વૈશ્વિક […]