મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા વર્ષ 1962માં બનેલા સાબરમતી નદી પરના નહેરુ બ્રિજના રિપેરિંગ માટેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. નહેરુબ્રિજના નિર્માણને આશરે 58 વર્ષ થઈ ચૂક્યાં હોઇ તે અમુક અંશે ભયજનક બન્યો છે. બ્રિજ પર વાહનચાલકોને મુશ્કેલી સર્જે તેવી તિરાડ પડી હોઇ તેના પિલરની બેરિંગ પણ ત્રાંસી થઇ ગઇ છે. તેના રીપોરીંગનું કામ શરૂ કરવાનું હોવાથી આ બ્રિજ 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરનો આ બ્રિજ 15થી 30 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.
નેહરૂબ્રિજ સમારકામ અને મેટ્રોની કામગીરીના લીધે બંધ રહેશે. જેથી વાહનચાલકોને મોટી મુશ્કેલી પડી શકે તેમ છે. નેહરૂબ્રિજ પરથી પસાર થતાં લોકોને લૉ ગાર્ડન તરફ વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યો છે. આ રૂટ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે રૂટ બંધઅમદાવાદ મ્યુનિ. ઇજનેર બ્રિજ પ્રોજેક્ટ દ્વારા નહેરુબ્રિજના રિપેરિંગ માટે આશરે રૂપિયા 2.54 કરોડનું ટેન્ડર પણ તૈયાર કરાયું છે.અમદાવાદના રાજમાર્ગ ગણાતા પશ્ચિમ તરફના આશ્રમરોડને પૂર્વ તરફના સરદારબાગ સહિત કાલુપુર, મીરજાપુરને જોડનાર નહેરુબ્રિજ નદી પરના વાહન વ્યવહારની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો બ્રિજ છે.
