Gujarat

વડાપ્રધાનજી, આપણા ખેડૂતો સાથે જ યુદ્ધ?- રાહુલ-પ્રિયંકાએ કર્યો સવાલ

26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાને લઇને સુરક્ષા વધારવામાં આવી  

નવી દિલ્હી:

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. દિલ્હીની અલગ અલગ સરહદો પર પોલીસ દ્વારા ખેડૂતોને રોકવા માટે ઘેરાબંધી કરવામાં આવી રહી છે જેને લઇને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીની સરહદો પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓની તસવીરોને શેર કરવામાં આવી છે, સાથે જ લખ્યુ છે કે ભારત સરકાર, પુલ બનાવે-દીવાલ નહી. રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ એક વીડિયો ટ્વીટ કર્યો છે, સાથે જ તેમણે લખ્યુ કે વડાપ્રધાનજી, આપણા ખેડૂતો સાથે જ યુદ્ધ?

મહત્વપૂર્ણ છે કે 26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ ખેડૂતોના પ્રદર્શનસ્થળ પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોએ ફરી એક વખત 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ કરવાની વાત કહી છે.

એવામાં દિલ્હી પોલીસ તરફથી ગાજીપુર બોર્ડર, ટિકરી બોર્ડર અને સિંઘુ બોર્ડર પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહી સરહદો પર બેરિકેડિંગ કરવામાં આવી છે. સીમેન્ટના મોટા મોટા બેરિકેડ બનાવવામાં આવ્યા છે. રસ્તામાં ખિલા ઠોકવામાં આવ્યા છે. કાંટાળા તારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી પ્રદર્શનકારી ખેડૂત ફરી દિલ્હી તરફ ટ્રેક્ટર લઇને ના આવે.

આટલુ જ નહી દિલ્હી પોલીસના જવાનોની એક તસવીર સામે આવી હતી, જેમાં જવાન સ્ટીલની રૉડ અને કવચ જેવો કવર લઇને તૈનાત થયા હતા. પોલીસનું કહેવુ હતું કે કોઇ પ્રદર્શનકારી તલવારથી હુમલો ના કરી દે, માટે આવી તૈયારી કરવામાં આવી છે.

delhi-border.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *