Delhi

ચીન સાથે અથડામણ બાદ સરકારનો મોટો ર્નિણય, તવાંગમાં ૨૩ નવા ટાવર લગાવાશે

નવીદિલ્હી
ભૂતકાળમાં તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ ભારત સરકારે મોટો ર્નિણય લીધો છે. ન્છઝ્ર પર વધુ સારી કનેક્ટિવિટી માટે સરકાર ૨૩ નવા મોબાઈલ ટાવર લગાવવા જઈ રહી છે. તવાંગ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ૯ ડિસેમ્બરે યાંગત્સેમાં ભારત-ચીન સૈનિકોની અથડામણ બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. તવાંગના ડેપ્યુટી કમિશનર કેએન દામોએ જણાવ્યું હતું કે સરકારના ર્નિણય મુજબ બીએસએનએલ અને ભારતી એરટેલ તવાંગમાં કનેક્ટિવિટી સુધારવા માટે ૨૩ નવા મોબાઈલ ટાવર સ્થાપિત કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં હાલના મોબાઈલ ટાવર જરૂરિયાત મુજબ સુવિધાઓ પૂરી પાડવા સક્ષમ નથી. જેના કારણે સંરક્ષણ દળોની સાથે સરહદી વિસ્તારોમાં રહેતા સામાન્ય નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારે આ ર્નિણય લીધો છે. અગાઉ સરહદી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક નહોતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને બમ-લા અને વાય-જંકશન પર પણ ઈન્ટરનેટ સેવા અને મોબાઈલ કનેક્ટિવિટી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જાેકે, તેમાં સુધારાની જરૂર છે.અધિકારીઓએ જણાવ્યું કે, તવાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૪૩ નવા ટાવરની માંગણી કરવામાં આવી હતી. જાેકે ૨૩ નવા ટાવર લગાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શિયાળામાં મોબાઈલ ટાવર લગાવવા એ એક પડકાર હશે કારણ કે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *