Delhi

દોષિતો જેલમાંથી છુટી જશે પણ જશે ક્યાં? ૪ દોષિતો પાસે એકેય દેશની નાગરિકતા નથી

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યાકાંડ મામલામાં દોષિતોને છોડી મુકવાના આદેશ આપ્યા છે. આ આદેશ બાદ ચાર દોષિતોની જીંદગી વિમાસણમાં મુકાઈ છે. તે ત્રિશંકુ ભૂમિમાં લટકી ગયા છે. મતલબ કાયદાકીય રીતે તેઓ દેશના નાગરિક નથી. મુરુગન ઉર્ફ શ્રીહરન, સંથન, રોબર્ટ પાયસ અને જયકુમારના અનુસાર, તે શ્રીલંકન છે, જાે કે તેની પાસે તેને સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ નથી. ત્યારે આવા સમયે જેલમાંથી છુટ્યા બાદ તે ક્યાં જશે? એક ભારતીય નાગરિક, નલિની સાથે લગ્ન કરવાના આધાર પર, મુરુગનને ભારતમાં રહેવાનો અધિકાર છે, પણ તેનો કેસ પણ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસવાના કિસ્સોમાં પેંચ ફસાયેલો છે. ભારતીય નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૫(૧)(સી) કહે છે કે, એક વ્યક્તિ જેણે ભારતના નાગરિક સાથે લગ્ન કર્યા છે, તે ભારતમાં રહી શકે છે અને નાગરિકતા માટે દાવો કરી શકે છે. પણ એક શરત એવી પણ છે કે, આ અધિકારથી એ લોકોને બહાર રાખ્યા છે, જે દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે. શ્રીહરને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો અને વસવાટ કર્યો. ચારેય દોષિતો માટે આગળ ચાર રસ્તા ખુલ્લા છે. જેમાં પહેલો રસ્તો એ છે કે શરણાર્થી શિબિરોમાં મોકલી શકે છે જેમાં તેમની સાથે બે વાત થઈ શકે. એક તો જેવા તેઓ જેલમાંથી બહાર આવશે, તો તેમની ધરપકડ થશે અથવા તો શરણાર્થી કેમ્પમાં મોકલી દેવામાં આવશે. તેમની સાથે કોઈ અન્ય શ્રીલંકન નાગરિક માફક વ્યવહાર થઈ શકે છે, જે માન્ય યાત્રા દસ્તાવેજ વગર જ ભારતમાં ઘુસી આવ્યા હતા. અને બીજાે રસ્તો એ છે કે શ્રીલંકા ખંગાળી શકે છે ઓળખાણ. શ્રીલંકાની સરકાર તેમની રાષ્ટ્રીય ઓળખાણના વિવરણને ખંગાળી શકે છે અને ભારતને એક ઔપચારિક પ્રત્યર્પણ અનુરોધ કરી શકે છે. તેમના સિદ્ધ એલટીટીઈ લિંક, અને શ્રીલંકાની વર્તમાન આર્થિક અને રાજકીય સ્થિતિને જાેતા મુક્ત કરાયેલા ગુનેગારો સ્વયં લંકાની મુસાફરી કરી શકતા નથી. અને ત્રીજાે રસ્તો એ છે કે તેઓ ભારતીય નાગરિક આપી શકે છે અરજી કરે જેમાં અમુક ભારતીય નાગરિક તેમના માટે જામીન આપી શકે છે. તેના માટે તે જિલ્લામાં શરણાર્થી શિબિરોના પ્રબારી જિલ્લાધિકારી અને પોલીસ અધીક્ષકને એક અરજી કરી શકે છે. આ અરજીમાં એવો અનુરોધ કરવામાં આવે કે, તે પોતાની સાથે શરણાર્થીમાં સમાયોજીત કરવાની અનુમતી આપી શકે છે. અધિકારી આવી સ્થિતિમાં, અન્ય માપદંડો સાથે સાથે ખતરાની ધારણાનું આકલન કરશે અને શરણાર્થીને પોતાના ભારતીય મેજબાનની સાથે રહેવાની મંજૂરી આપશે. અને ચોથો એ કોઈ પણ દેશને કરી શકે છે અનુરોધ. જેમાં તે શરણ માટે યા તો ભારતમાં અથવા અન્ય કોઈ દેશમાં અરજી કરી શકે છે, જે દેશ તેમની શરણ અરજી સ્વિકાર કરે છે, તેણે ભારતને કહેવું પડશે કે તેમને અહીં મોકલે. જાે ભારત ઈચ્છે તો તેમને દેશમાં જ શરણ આપી શકે છે.

File-02-Page-02-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *