આજે ગીર સોમનાથમાં જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાની અધ્યક્ષતામાં મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટ મૌન પાળી તેમની શાંતિ માટે પ્રાર્થના કરી હતી


