લોકેશન.ખેડા-મહુધા
રિપોર્ટર.નિસાર શેખ
કેળવણી મંડળ સંચાલિત કે.એમ.પટેલ પ્રા.શાળા ના આચાર્ય હર્ષિત ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદમાં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
શિક્ષક દિન નિમિત્તે શાળાનાં કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિક્ષક અને આચાર્ય બનેલા વિદ્યાર્થી ઓનું આચાર્ય હર્ષિત ભટ્ટ દ્વારા પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કુમુદબેન પટેલ અને સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નાં અંતે શિક્ષક બનેલ વિદ્યાર્થી ઓ એ પોતાના પ્રતિભાવ રજુ કર્યા હતાં.


