અમરેલી, ચાંપાથળ, પ્રતાપપુરા અને ફતેપુર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી
ભરત ગંગદેવ
તા.૧૧ /૦૯/ ૨૦૨૨ને રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે જિલ્લાના અમરેલી તાલુકાના અમરેલી ગામ પાસે ઠેબી નદી ઉપર આવેલ ઠેબી સિંચાઈ યોજનામાં નિર્ધારીત રુલ લેવલ જાળવવા માટે ગમે તે સમયે દરવાજા ખોલવામાં આવશે. જેથી ઠેબી જળાશયના નીચાણ વાળા વિસ્તારના ગામો (૧) અમરેલી, (૨) ચાં, પાથળ (૩) પ્રતાપપુરા અને (૪) ફતેપુર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી