Gujarat

રાંધેજામાં કારે બાઈકને ટક્કર મારતા એકનું મોત

ગાંધીનગર
કલોલના છત્રાલના વડનગર મુકામે રહેતાં આશિષ વીરાજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, કુટુંબી સભ્યો સાથે આશિષ ધાર્મિક બાધા કરવા માટે પગપાળા નીકળીને રાંધેજા જાેગણી માતાના મંદિરે પહોંચ્યો હતો. તેમજ કુટુંબી કાકા જલાજી તેમનું નવું બાઈક લઈને મંદિરે ગયા હતા. અહીં ધાર્મિક વિધિ પૂર્ણ થયાં બાદ તેમના દીકરા સંજયે તેના પિતા જલાજીને કહેલું કે બાઈક આપીને તેઓ રિક્ષામાં ઘરે આવી જાય. બાદમાં આશિષ, સંજય અને અખિલ બાઈક ઉપર ત્રણ સવારી ઘરે પરત જવા માટે નીકળ્યા હતા. તે વખતે બાઈક સંજય ચલાવતો હતો. તેઓ બપોરના સમયે રાંધેજા વિદ્યાપીઠ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રૂપાલ તરફથી આવતી ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી બાઈકને ટક્કર મારી હતી. જેનાં કારણે બાઈક સવાર ત્રણેય યુવાનો ઉછળીને જમીન પર પટકાતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે ઈકો કારનો ચાલક કાર સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. અકસ્માતના પગલે રાહદારીઓ એકઠા થઇ ગયા હતા અને ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતાં સંજયને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાનાં કારણે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. અને આશિષ અને અખિલને દાખલ કર્યા હતા. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના રાંધેજા વિદ્યાપીઠ રોડ પર ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી બાઈકને ધડાકાભેર ટક્કર મારતાં બાઈક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજતા પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Radheja-accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *