Uttar Pradesh

યુપીમાં લગ્ન કરી દુલ્હન પરિક્ષા આપ્યા પછી વિદાય કરી ગઈ

ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના સોનભદ્રના ઘોરવાલ તાલુકાની સરહદને અડીને આવેલા મધ્ય પ્રદેશના ગઢવાના ખૈડારની રહેવાસી જૂડાવતી વૈશ્ય કુશહરા ખાતે શ્રી પ્રમોદજી મહિલા મહાવિદ્યાલયમાં બીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પરિવારના લોકોએ અભ્યાસ દરમિયાન જ તેના લગ્ન નક્કી કરી દીધા હતા. ગુરુવારે ૨૬ મેના રોજ તેના લગ્ન યોજાયા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીની ત્રીજા વર્ષની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ હતી. જે મુજબ ૨૬ મેના રોજ તેના લગ્ન અને ૨૭ મેના રોજ સવારે તેની પરીક્ષા હોવાથી તે પરેશાન થઈ ગઈ હતી. યુવતીના પિતા લાલજી વૈશ્યના કહેવા પ્રમાણે, જુડાવતીએ તેમને કહ્યું કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોવા છતાં તે પરીક્ષા જરૂરથી આપશે. જાે તે પરીક્ષા ચૂકી જશે તો તેની આખા વર્ષની મહેનત વ્યર્થ જશે. આ સાંભળીને તેના પિતા પરેશાન થઈ ગયા કે છોકરાના પક્ષના લોકો આ વાત માટે રાજી થશે કે નહીં. જ્યારે તેણે છોકરાના સંબંધીઓને આ અંગે વાત કરી તો તેમને આશ્વાસન આપ્યું, છતાં તેઓ સંતુષ્ટ ન થયા. સિંગરૌલીના આમચુનાથી જાન આવી હતી. પરિવારના સભ્યોએ જાનનું સ્વાગત કર્યું હતું. જયમાળા દરમિયાન માળા પહેરાવતા સમયે પહેલા કન્યા એ પરીક્ષા પછી જ તેના વરને વિદાય અંગે વાત કરી. આ વાત પર વરરાજા અને તેના પરિવારજનો સહમત થયા. લગ્નનો કાર્યક્રમ આખી રાત ચાલ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિની દુલ્હનના જ પહેરવેશમાં મંડપમાંથી સીધી પરીક્ષા આપવા માટે કોલેજ ખાતે ફૂલોના હારથી શણગારેલી વરની કારમાં પહોંચી હતી. કોલેજમાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ કોલેજના કાર્યકારી આચાર્ય ડો. મનોરમા મિશ્રા અને મેનેજર ડો.સુધીર કુમાર મિશ્રાએ પરીક્ષા બાદ કન્યાને સંપૂર્ણ સન્માન સાથે વિદાય આપી હતી. જે બાદ તેણી તેના સાસરે જવા રવાના થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *