શ્રીલંકા
શ્રીલંકામાં ૯ એપ્રિલથી હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને સરકાર પાસે મહત્વપૂર્ણ ઉત્પાદનોની આયાત કરવા માટે પૈસા નથી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને ઇંધણ, દવાઓ અને વીજળીની અછત છે. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. કેટલાક દેખાવકારોએ વડાપ્રધાનના નિવાસસ્થાનની દિવાલો પર ‘રાજપક્ષે, ઘરે જાઓ’ લખ્યું હતું. વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ વચગાળાની સરકારની માંગને ફગાવી દીધાના એક દિવસ બાદ રવિવારે વિરોધ પ્રદર્શને વધુ નાજુક વળાંક લીધો હતો. શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વચગાળાની સરકાર બનાવવાની વિરોધીઓની માંગને ફગાવી દીધી છે. રેડિયો સ્ટેશન નેટ એફએમ સાથે વાત કરતા તેમણે કહ્યું કે આવી રાજકીય રચનાનો કોઈ ફાયદો નથી, જ્યારે વિવિધ નીતિઓ ધરાવતા લોકો એકસરખું વિચારી શકતા નથી. ગહન આર્થિક સંકટ પર તેમણે કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ સમયમાં લોકોએ ધીરજ રાખવી જાેઈએ. જાે વાત ન કરવી હોય તો લોકો પોતાનો વિરોધ ચાલુ રાખી શકે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ) એ દેવાથી ડૂબેલા શ્રીલંકાને વર્તમાન આર્થિક કટોકટીનો અંત લાવવાના પ્રયાસમાં સહયોગની ખાતરી આપી છે. આ સાથે દેશના નાણામંત્રી અલી સાબરી સાથેની પ્રારંભિક ચર્ચાને ફળદાયી ગણાવી છે. શ્રીલંકા ૧૯૪૮માં બ્રિટનથી સ્વતંત્ર થયા બાદથી અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. નાણાપ્રધાન સાબરીએ કહ્યું છે કે આગામી ૨૦ દિવસમાં શ્રીલંકા તેના દેવાના પુનર્ગઠનમાં મદદ કરવા માટે સલાહકારની નિમણૂક કરશે. તેમણે કહ્યું કે દેશના અસ્થિર વિદેશી દેવાનું પુનર્ગઠન એ ૈંસ્હ્લ પાસેથી નાણાકીય સહાય મેળવવા માટેની મુખ્ય શરત છે.શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરા થયા બાદ લોકો ગુસ્સામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. રવિવારે પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનના આવાસને ઘેરી લીધું હતું. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે સરકાર વિરોધી પ્રદર્શનને ૧૬ દિવસ થઈ ગયા છે. ઇન્ટર યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ ફેડરેશનના હજારો વિદ્યાર્થીઓ વિજર્મા મ્વાટામાં વડા પ્રધાનના આવાસની બહાર સૂત્રોચ્ચાર કરતા જાેવા મળ્યા હતા.
