National

સિનિયર્સે વિદ્યાર્થીને ઢોર માર માર્યો,જબરદસ્તી અલ્લાહ-હુ-અકબર બોલવતો વીડિયો વાયરલ

તેલંગાણા
તેલંગાણામાં પયગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ વિદ્યાર્થીને તેના સીનિયર્સે ઢોર માર માર્યો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, વિદ્યાર્થીઓ તરફથી જય માતા દી અને અલ્લાહ-હુ-અકબરના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હજુ સુધી વિદ્યાર્થીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી નથી. આ મામલો તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના શંકરપલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં ૧ નવેમ્બરે બિઝનેસ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાની સાથે જ કોલેજ પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું અને પોલીસને આ અંગે જાણ કરી હતી. આ મામલે કોલેજ મેનેજમેન્ટે પોતાની રીતે તપાસ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્‌સના અનુસાર, વિદ્યાર્થીની સાથે મારપીટ કરનાર હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના વિદ્યાર્થીઓ સામેલ હતા. વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે વિદ્યાર્થીઓ તેમના જુનિયર સાથે મારપીટ કરી રહ્યા છે અને તેને જય માતા દી, અલ્લાહ-હુ-અકબર બોલવા માટે દબાણ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે દેશમાં કોઈ ચોક્કસ સમુદાયના ધાર્મિક નારા લગાવવા માટે કોઈ વ્યક્તિને માર મારવામાં આવ્યો હોય અને દબાણ કરવામાં આવ્યું હોય. જુલાઈ ૨૦૨૨ માં, ઉત્તર પ્રદેશના ગોંડામાં ત્રણ મુસ્લિમ ફકીરો પર અભદ્રતા કરવામાં આવી હતી. તેઓને જય શ્રી રામના નારા લગાવવાની ફરજ પડી હતી. કાનપુર હિંસાનો ઉલ્લેખ કરીને તેમને આતંકવાદી પણ કહ્યા હતા. તેમને ઉઠક-બેઠક પણ કરાવી. આ કેસનો વીડિયો વાયરલ થતાં પોલીસે યુવકોની ધરપકડ કરી હતી. જાન્યુઆરી ૨૦૨૨ માં, ઝારખંડના ધનબાદમાં મહાત્મા ગાંધીની આજીવન પ્રતિમા હેઠળ વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરોએ એક યુવકને માર માર્યો અને તેને થૂંક પણ ચટાડ્યું. યુવકે પીએમ મોદી વિશે અપશબ્દો કહ્યા હતા. આનાથી ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ યુવકને ત્યાં સુધી મારતા રહ્યા જ્યાં સુધી તે ભારતીય જનતા પાર્ટી ઝિંદાબાદપ અને જય શ્રી રામપ ના નારા લગાવે નહીં. આ દરમિયાન ગાંધીચોકમાં તૈનાત પોલીસ આરામથી તમાશો જાેતી રહી.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *