Delhi

સંસદના બજેટ સત્રના સમયની કરી જાહેરાત, ૩૧ જાન્યુઆરીથી ૬ એપ્રીલ સુધી ચાલશે બજેટ સત્ર

નવીદિલ્હી
સંસદના બજેટ સત્રના સમયની જાહેરાત કરી દેવાઈ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર આ વખતે સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી ૬ એપ્રીલ સુધી ચાલશે. કેન્દ્રિય સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જાેશીએ આ બાબતે જાણકારી આપી. સંસદમાં સતત હંગામાં ચાી રહ્યા છે ત્યારે હવે આ વખતે સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી ૬ એપ્રીલ સુધી ચાલશે અને તેમાં ૬૬ દિવસોમાં કુલ ૨૭ બેઠકો હશે. ૧૪ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ સુધી સંસદના બજેટ સત્રમાં વિરામ રહેશે. આ પછી સત્ર ફરી શરૂ થશે. સત્ર પછી અમૃત કાલ ભાષણ સાથે રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરાશે. આ બજેટ સત્ર દરમિયાન બજેટ ઉપરાંત અન્ય ઘણી મહત્વની બાબતો પર પણ ચર્ચા થશે. વિવિધ સંસદીય સ્થાયી સમિતિઓ ૧૪ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચની વચ્ચે તેમની માંગણીઓ તૈયાર કરશે. આ સિવાય વિવિધ મંત્રાલયો અને વિભાગો તેમના અહેવાલો તૈયાર કરશે. અહેવાલો અનુસાર કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરી શકે છે. ત્યારબાદ પ્રથમ સત્ર ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. બજેટ સત્રનો બીજાે ભાગ ૧૩ માર્ચથી શરૂ થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. અહીં તમને જણાવી દઈએ કે, સંસદનું બજેટ સત્ર બે ભાગમાં વહેંચાયેલું હોય છે. પ્રથમ ભાગમાં બજેટ રજૂ કરવામાં આવે છે અને બીજા ભાગની બેઠક માર્ચ મહિના બોલાવાય છે. મનાઈ રહ્યું છે કે, બીજા ભાગની શરૂઆત પહેલા સંસદના નવા ભવનનું ઉદ્‌ઘાટન પણ કરાશે. અધિકારીઓનું માનીએ તો સંસદ ભવનનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. તેનું કામ ફેબ્રુઆરી મહિના સુધીમાં પૂર્ણ થઈ શકે છે. આ સ્થિતિમાં સત્રનો બીજાે ભાગ નવી ઇમારતમાં યોજાઈ શકે છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ પુરીએ માહિતી આપી હતી કે સંસદ ભવનના નવા બિલ્ડિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *