Gujarat

જામનગરમાં આગામી તા. 22 મે ના ખભા- કમરના દુઃખાવા માટે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાશે

જે દર્દીઓને ખભા, જકડાહટ, ફ્રોઝન શોલ્ડર, ગરદનમાં દુઃખાવો રહેતો હોય, સર્વાઈકલ સ્પોન્ડીલોસિસ,
કમરમાં દુઃખાવો, સાંધામાં ઘસારો હોય, હાડકાંનો ઘસારો હોય, સાયટીકા હોય કે માંસપેશીમાં દુઃખાવો સતત રહેતો હોય- આવી
તમામ સમસ્યાઓ માટે આગામી તા. 22 મે ના રોજ ગુલાબ કુંવરબા આયુર્વેદિક હોસ્ટિપટલ, પહેલો માળ, ઓ. પી. ડી. નં.
112, પંચકર્મ ભવન, I. T. R. A., જામનગરમાં સવારે 09:00 થી 12:00 અને સાંજના 04:00 થી 06:00 દરમિયાન નિઃ
શુલ્ક નિદાન અને 'મર્મ સારવાર' નો કેમ્પ આયોજિત કરવામાં આવશે.
જામનગરની જાહેર જનતાને આ નિઃ શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે આર. એમ. ઓ. શ્રી ડો. જોયલ
પટેલ, ઈટરાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *