Gujarat

જામનગરમાં આગામી તા. 24 મે ના પુખ્ત વયના લોકોમાં થતા શ્વાસના રોગો માટે નિઃ શુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાશે

પુખ્ત વયના લોકોમાં થતા શ્વાસ રોગ એટલે કે બ્રોન્કિયલ અસ્થમાના દર્દીઓની સારવાર માટે આયુર્વેદિક
ચિકિત્સા પદ્ધતિ સલામત છે, અને લાભકારક છે. અસ્થમાની સારવારમાં કોર્ટીકોસ્ટેરોઈડ્સ મેડીસિનની મધ્યમ માત્રા/ ઉચ્ચ
માત્રાનો સમાવેશ થાય છે. આ દવાના લાંબા ગાળાના ઉપયોગથી હાઇપર ટેંશન, ડાયાબિટીસ, વજન વધવું, ઓસ્ટિયોપોરોસિસ
(હાડકાંનો રોગ) વગેરે જેવી આડ અસર થઇ શકે છે.
આગામી તા. 24 મે ના રોજ સવારે 09:00 થી 01:00 કલાક દરમિયાન અને સાંજે 03:30 થી 06:00 કલાક દરમિયાન I. T.
R. A. હોસ્પિટલ, ઓ. પી. ડી. નં. 8, રિલાયન્સ મોલની સામે, જામનગરમાં નિઃ શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરની જાહેર જનતાને આ આયુર્વેદિક કેમ્પનો લાભ લેવા માટે આર. એમ. ઓ. શ્રી ડો. જોયલ પટેલ,

ઈટરા, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *