બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા આ રવિવારે એટલે કે 23 જૂને તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જ્યારથી તેમના લગ્નના સમાચાર સામે આવ્યા છે ત્યારથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા અને પરિવારના બાકીના સભ્યો આ લગ્નથી ખુશ નથી.
ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે શત્રુઘ્ન તેમની પુત્રીના લગ્નમાં હાજરી આપશે નહીં. જો કે, હવે એક ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂક્યું છે.

મારી પુત્રીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છેઃ શત્રુઘ્ન
ઝૂમને આપેલા એક ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્ને કન્ફર્મ કર્યું કે તે તેની દીકરીના લગ્નમાં ચોક્કસ હાજરી આપશે. પીઢ અભિનેતાએ એમ પણ કહ્યું કે તેની પુત્રીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે અને ઝહીર સાથે તેની જોડી સારી લાગે છે.
ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્ને કહ્યું, ‘મને કહો, આ કોનું જીવન છે? આ મારી એકમાત્ર પુત્રી સોનાક્ષીનું જીવન છે, જેના પર મને ખૂબ ગર્વ છે અને હું જેને ખૂબ પ્રેમ કરું છું.
તે મને શક્તિનો સ્તંભ કહે છે. આ લગ્નમાં હું ચોક્કસ હાજર રહીશ.અને મારે શા માટે ન રહેવું જોઈએ? મારી ખુશી તેની ખુશીમાં છે. સોનાક્ષીને પોતાનો જીવનસાથી અને લગ્ન સાથે જોડાયેલી દરેક વસ્તુ પોતે પસંદ કરવાનો અધિકાર છે.’

