Entertainment

બોમ્બે હાઈકોર્ટે ફિલ્મ ‘ઈમરજન્સી’ને CBFC સર્ટિફિકેટ મેળવવાની અરજી પર સુનાવણી કરવામાં અસમર્થતા દર્શાવી

બોલિવૂડ અભિનેત્રી કંગનાને બોમ્બે હાઈકોર્ટનો ઝટકો,

૬ સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ નહીં થાય : હાઈકોર્ટે સેન્સર પ્રમાણપત્રની માંગણી કરી

બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. દરમિયાન, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે બોમ્બે હાઇકોર્ટમાં આ ફિલ્મ માટે સેન્સર પ્રમાણપત્રની માંગણી કરી હતી. જેથી તેને ૬ સપ્ટેમ્બરે રિલીઝ કરવાનો ર્નિણય લઈ શકાય.

બોમ્બે હાઈકોર્ટે ફિલ્મને ઝ્રમ્હ્લઝ્ર સર્ટિફિકેટ મેળવવાની અરજી પર સુનાવણી કરવામાં અસમર્થતા દર્શાવી છે. કોર્ટે કહ્યું કે આ મામલે આટલી જલ્દી આદેશ આપી શકાય નહીં, આ મામલે ૧૮ સપ્ટેમ્બર સુધીમાં ર્નિણય લેવામાં આવશે. જે બાદ ૧૯ સપ્ટેમ્બરે કોર્ટમાં આ મામલે સુનાવણી થશે. આ સાથે કોર્ટે ઝ્રમ્હ્લઝ્રને પણ ફટકાર લગાવી છે.

કોર્ટે કહ્યું કે ફિલ્મમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, CBFC ગણપતિ ઉત્સવના નામે રજા કહીને પ્રમાણપત્રના મુદ્દે પોતાની જવાબદારીથી ભાગી શકે નહીં. વાસ્તવમાં, ઝી એન્ટરટેઈનમેન્ટ આ કેસમાં અરજદાર છે જે ફિલ્મ સાથે એસોસિયેટ મેકર એટલે કે કો-પ્રોડ્યુસર તરીકે જાેડાયેલ છે. તેમના વતી વરિષ્ઠ વકીલ વેંકટેશ ધોંડ કોર્ટમાં હાજર રહ્યા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC ) વતી એડવોકેટ અભિનવ ચંદ્રચુડ હાજર રહ્યા હતા.

સુનાવણી દરમિયાન કોર્ટે સેન્સર બોર્ડને ફિલ્મ અંગે રજૂ કરવામાં આવેલા વાંધાઓ પર વિચાર કરવા અને ૧૮ સપ્ટેમ્બર સુધીમાં તેનું પ્રમાણપત્ર જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આ આદેશ બાદ આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ નહીં થાય. તેની રજૂઆત બે અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવી છે.

ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસે બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને નિર્ધારિત તારીખે ફિલ્મ રિલીઝ કરવાની માંગ કરી હતી. જેમાં ફિલ્મ ઈમરજન્સી માટે સર્ટિફિકેટ આપવા વિનંતી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સેન્સર બોર્ડ પાસે પ્રમાણપત્ર તૈયાર છે પરંતુ તે કાયદો અને વ્યવસ્થા બગડવાના ડરથી તેને જારી કરી રહ્યું નથી.

જસ્ટિસ બીપી કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદૌસ પૂનાવાલાની બેન્ચે ઉત્પાદકની દલીલ સ્વીકારી કે પ્રમાણપત્ર તૈયાર છે પરંતુ જારી કરવામાં આવ્યું નથી. ખંડપીઠે કહ્યું કે જ્યારે ફિલ્મના નિર્માતાઓને પ્રથમ ઓનલાઈન પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું, ત્યારે ઝ્રમ્હ્લઝ્રની દલીલ કે પ્રમાણપત્ર આપવામાં આવ્યું ન હતું કારણ કે તેમાં અધ્યક્ષની સહી નથી તે યોગ્ય નથી.