રાજ્ય સરકાર દ્વારા વિકાસની હરણફાળ ભરતી હોવાની વાતો જોરશોરથી થઈ રહી છે પણ નરી વાસ્તવિકતાઓ આખી અલગ હોય તેમ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકના ગ્રામીણ ગામડાઓના રોડ રસ્તાઓ સરકારમાંથી મંજૂર થઈ ગયા હોવા છતાં હજુ સુધી કામો શરૂ ન થતા ગામડાઓના સ્થાનિકોને પડતી યાતનાઓ સામે કોંગ્રેસ દ્વારા નવતર વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઘોર તંદ્રામાંથી સરકારને જગાડવા બિસ્માર માર્ગ પર ભગવાનને આરતી પ્રાર્થના સાથે રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું ને સત્ય નારાયણ ભગવાનની કથા સાથે કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કરેલ.

સાવરકુંડલા પંથકના ગ્રામીણ માર્ગોને લઈને આજે કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં સાવરકુંડલાના ધાર થી પિયાવા માર્ગ અતિ બિસ્માર હોય ને આ માર્ગ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મંજૂર કરાવીને જોબ નંબર આવી ગયો હોવા છતાં આજે ભાજપના ધારાસભ્યને ચુંટાઈને આવ્યા ને બે બે વર્ષ થવા છતાં આ ગ્રામીણ ગામડાઓના રોડ રસ્તાઓના કામો શરૂ નથી કરવામાં આવ્યા ત્યારે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ધાર થી પિયાવા માર્ગ પર બેસીને રામધૂન બોલાવી હતી ને માર્ગ પર બેસીને ભગવાનને આરતી કરીને તંત્રને જગાડવાનો નવતર પ્રયાસ પ્રતાપ દૂધાત સાથે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક ગામડાઓના ખેડૂતોએ કર્યો હતો સાથે સાથે બાજુમાં આવેલા મંદિરે ભગવાન સત્ય નારાયણની કથા કરીને કોંગ્રેસે તંત્રના કાન આમળ્યા હતા ત્યારે આ માર્ગ પર અકસ્માતનો ભોગ બનેલા ખેડૂતે વ્યથિત થઈને પોતાની પીડાઓ મીડીયા સમક્ષ વર્ણવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આ રોડની હાલત અતિ ખરાબ હોવા છતાં સરકાર દ્વારા મંજૂર થયેલો રોડ બનતો નથી ને અવારનવાર અકસ્માતનો ભોગ ગ્રામીણ ગામડાઓના ખેડૂતો બની રહ્યા હોય ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સરકારને જગાડવાનો નવતર પ્રયાસ કર્યો હતો ને સરકાર સામે આકરા પ્રહારો પ્રતાપ દુધાતે કર્યા હતા

એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે પણ ગ્રામીણ ગામડાઓના માર્ગોની હાલત અતિ દયનીય બની હોય ત્યારે જોબ નંબર આવી ગયેલ હોવા છતાં આ માર્ગો બનતા નથી તે વાસ્તવિકતાઓ સામે કોંગ્રેસે વિરોધ સાથેનો નવતર કાર્યક્રમ યોજીને તંત્રને જગાડવાનો પ્રયાસ આદર્યો છે તેમા કોંગ્રેસ સફળ થશે કે કેમ તે તો સમય જ કહેશે…..
બિપીન પાંધી સાવરકુંડલા