કઠલાલ નગરમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે થી પૂજા આરતી બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.ત્યારે આ શોભાયાત્રામાં લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ,ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા,અગ્રણીઓ સહિત ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા કઠલાલ નગર ના મુખ્ય બજાર સહિત નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી.ત્યારે યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

