બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી દ્વારા સંગઠનાત્મક નિયુક્તી કરવામાં આવી છે જેમાં, તેમના ભત્રીજા આકાશ આનંદનું રાજકીય કદ ફરી વધાર્યું છે. તેમણે આકાશને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે. આકાશ હવે આખા દેશમાં પાર્ટીનું કામ સંભાળશે. માયાવતીએ રવિવારે બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આની જાહેરાત કરી હતી. આ બીજી વખત છે જ્યારે આકાશ આનંદને માયાવતીએ તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા છે. આ વર્ષે મે મહિનામાં માયાવતીએ તેમને તેમના અનુગામી અને રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવ્યા હતા.
આકાશ આનંદે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં હાજરી આપી હતી. જ્યારે તેમણે માયાવતીના પગને સ્પર્શ કર્યો, ત્યારે તેમણે તેમના માથા પર હાથ મૂક્યો અને પછી તેમની પીઠ થપથપાવીને તેમને આશીર્વાદ આપ્યા. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ માયાવતીને ચૂંટણીમાં તેમની હારનો રિપોર્ટ સોંપ્યો છે. આ બેઠકમાં ૨૦૦ થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના મ્જીઁ અધિકારીઓએ ભાગ લીધો હતો.
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી દરમિયાન બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના એક ર્નિણયથી બધાને ચોંકાવી દીધા હતા. તેમણે આકાશ આનંદને અપરિપક્વ ગણાવીને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા હતા. લોકસભા ચૂંટણીની રેલીઓમાં આકાશ ખૂબ જ આક્રમક દેખાતો હતો. આકાશ આનંદ પર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આકાશ આનંદને પદ પરથી હટાવવાથી બસપાને ઘણું નુકસાન થયું છે. પાર્ટીની વોટ ટકાવારી ૧૯ ટકાથી ઘટીને લગભગ ૧૦ ટકા થઈ ગઈ છે.
આકાશ આનંદને જૂની જવાબદારી સોંપીને તેમણે બસપામાં પ્રાણ ફૂંક્યા છે. આગામી થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશની તમામ ૧૦ બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. બહુજન સમાજ પાર્ટીએ પેટાચૂંટણી લડી ન હતી. પરંતુ આ વખતે પાર્ટી ચીફ માયાવતીએ ર્નિણય કર્યો છે કે રાજ્યની ૧૦ સીટો પર યોજાનારી ચૂંટણીમાં તેના ઉમેદવારો ઉભા કરશે. આકાશ આનંદ પણ પેટાચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં, અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટી (એસપી) સાથે જોડાણમાં બીએસપીએ ઉત્તર પ્રદેશની ૮૦ સંસદીય બેઠકોમાંથી ૧૦ બેઠકો જીતી હતી.

