Gujarat

દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

નીતિશ કુમારની પાર્ટી ત્નડ્ઢેં ના વરિષ્ઠ નેતા રાજીવ રંજન સિંહનું નિધન થયું છે. ત્નડ્ઢેં નેતા નીરજ કુમારે આ જાણકારી આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજીવ રંજન સિંહે દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. ઝ્રસ્ નીતિશ કુમાર સહિત ત્નડ્ઢેં ના ઘણા નેતાઓએ રાજીવ રંજન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીવ રંજનના નિધનને તેમની પાર્ટી માટે એક મોટું નુકસાન ગણાવ્યું છે.

ત્નડ્ઢેં નેતાના પરિવાર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે ગુરુવારે મોડી સાંજે રાજીવ રંજનની તબિયત બગડી હતી. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. રાજીવ રંજન સિંહ ત્નડ્ઢેં ના રાષ્ટ્રીય મહાસચિવ અને સહ-પ્રવક્તા હતા. તેઓ ઈસ્લામપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ પૂર્વ રાજ્યપાલ સિદ્ધેશ્વર પ્રસાદના જમાઈ હતા. રાજીવ રંજન સિંહ લાંબા સમયથી ત્નડ્ઢેં સાથે જોડાયેલા હતા. ગયા વર્ષે જ નીતિશ કુમારે તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા હતા.

બિહાર વિધાનસભાના સ્પીકર નંદ કિશોર યાદવે પણ રાજીવ રંજન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રાજીવ ઈસ્લામપુરના શોષિત અને વંચિત વર્ગનો અવાજ હતો. ભગવાન તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં સહન કરવાની શક્તિ આપે. સ્પીકર સિવાય બીજેપીના ઘણા નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે.