Gujarat

અમદાવાદમાં હવે શ્વાન પાળવું હોય તો ૫૦૦થી ૧૦૦૦ ભરીને લાઈસન્સ લેવું પડશે

અમદાવાદમાં હવે કૂતરું પાળવું હોય તો લાઈસન્સ લેવું પડશે. અમદાવાદમાં પાળતૂ શ્વાન માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ, ૫૦૦થી હજાર રૂપિયા ભરીને પાળતુ શ્વાન માટે લાઈસન્સ લેવું પડશે. આ સાથે જ કૂતરાંને પણ ઇહ્લૈંડ્ઢ ચીપ લગાવવાની રહેશે. તેમજ રખડતાં કૂતરાને હડકવા વિરોધી રસી મુકાવાનો એએમસી દ્વારા ર્નિણય લેવાયો છે.

કૂતરાના માલિકે રસીકરણનું સર્ટી, કૂતરાં રાખવાની જગ્યાનો ફોટો પાડી અપલોડ કરવાનો રહેશે. મેગા સિટી અમદાવાદમાં એક તરફ રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે રખડતા કૂતરા અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ, હવે અમદાવાદમાં ઘરમાં શ્વાન પાળવો હોય તો ફરજિયાતપણે લાયસન્સ લેવું પડશે. આ ઉપરાંત પાળતુ શ્વાન માટે કેટલાક અન્ય નિયમો પણ બનાવાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે રખડતા કુતરાઓને હડકવા વિરોધી રસી આપશે. નેશનલ એક્શન પ્લાન ફોર ડોગ અંતર્ગત આ કામગીરી કરવામાં આવશે. અમગાવાગ શહેરને વર્ષ ૨૦૩૦ સુધી રૅબીઝ ફ્રી બનાવવાનો ટ્ઠદ્બષ્ઠ નો લક્ષ્યાંક છે. જે માટે કુતરાઓને રસી આપવામાં માટે આગામી સમયમાં ખાસ પોલિસી નક્કી કરી અમલ કરવામાં આવશે. શહેરમાં રખડતા કુતરાના કરડવાના બનાવો, તેની પાછળના કારણો તેમજ શ્વાનની વર્તણુંક મામલે અભ્યાસ કરાશે. એક અંદાજ મુજબ શહેરમાં ૨ લાખથી પણ વધુ રખડતા શ્વાન છે.

આ કામગીરી માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતાવાળી ૧૪ સભ્યોની કમિટી બનાવાશે, જેઓ સમગ્ર પ્રોજેક્ટ મામલે કરવાની થતી કામગીરીનું મોનીટરીંગ કરશે. રખડતા કુતરાની સમસ્યાને કાબુમાં લેવા વિવિધ વિકલ્પો ઉપર હાલ વિચારણા ચાલી રહી છે. સ્ટ્રીટ ડોગ ઉપરાંત પાળતુ ડોગ મામલે પણ વિવિધ નિયમો બનાવવાની વિચારણા ચાલી રહી છે.

જેમાં પાલતુ ડોગની નોંધણી, અન્ય કોઈને આપવાનું થાય તો તેની ટ્ઠદ્બષ્ઠ ને જાણકારી આપવી. પાલતુ ડોગ પર પણ કિૈઙ્ઘ ચિપ લગાવવા સહિતના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ૩૯૮૮૨ રખડતા શ્વાનનું ખસીકરણ કરાયું. ટૂંક સમયમાં પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરી મંજૂરી અપાશે.