ભરૂચ જીલ્લામાં અષાઢ વદ અમાસ એટલે દિવાસો અને આ દિવસથી ધાર્મિક માસનો પ્રારંભ થવા સાથે ભક્તોની દશા સુધારનાર દશામાંના વ્રતનો પ્રારંભ થતા ભક્તોએ માતાજીની ભક્તિભાવ પૂર્વક સ્થાપના કરી દશ દિવસ માતાજીની ભક્તિ સાથે ઉપાસના કરી અંતિમ દશ દિવસ બાદ દશામાંનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરનાર છે.
ભરૂચ સહીત ગુજરાતભર માં દશામાંના વ્રતનો મહિમા વધી રહ્યો છે.સાથે અષાઢી વદ અમાસે માતાજીના વ્રતનો પ્રારંભ થનાર હોય જેને લઈ અંતિમ પૂર્વ સંધ્યાકાળે ભરૂચના બજારોમાં માતાજીને વિવિધ વાહનો સાથે ઢોલ નગારા અને અબીલ ગુલાલ ની છોડો વચ્ચે પોતાના ઘરે માતાજીને વાજતે ગાજતે લઈ જતા જોવા મળ્યા હતા.સાથે બીજા દિવસે રવિવારે અષાઢ વદ અમાસની સવારે દશામાં નું વ્રત કરતા ભક્તો પોતાના ઘરે અવનવા ડેકોરેશન સાથે દશામાંની સ્થાપના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો અને દશ દિવસ દશા માતાજીની પૂજા અર્ચના અને ઉપવાસ કરી માતાજીની ભક્તિમાં લીન બની અંતિમ દશ દિવસ બાદ અગિયારમા દિવસે સૂર્યોદય થતા પહેલા દશા માતાજીની નદીમાં વિસર્જન કરી વ્રતની પુર્ણાહુતી કરવામાં આવનાર છે.

