ઇસ્ટીટ્યુટ સિસ્મોલોજીકલ રિચર્સ ટિમ ગાંધીનગર દ્વારા વેરાવળ-શાપર માં ડોક્ટર નિસર્ગ મકવાણા સાહેબ સાયટીસ્ટ તથા શ્રી દિલીપસિંહ ખુશવાહા,વેરાવળ તથા પડવલા અને ગુંદાસરા ની આસપાસના સીમ વિસ્તાર સહિતની જગ્યામાં નદીનાડા સહિતના વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો સાથે સ્થળ પર જઈ રૂબરૂ નિરીક્ષણ હાથ ધરેલ હતું.
નિરીક્ષણ કરતા જમીનની ઉપરી સરફેસ કે નદી નાળા કે બિલ્ડીંગોમાં તીરાડો પડવાનું ધ્યાને આવેલ નથી વધુમાં એ જ કે આવા ભૂકંપો નાના પ્રકારના હોય તેથી સાવધાની રૂપે આ વિસ્તારમાં આવતું હોય તેની તીવ્રતાથી નાના ભૂકંપના આચકા અનુભવાતા હોય જાગૃતતા રાખવી અને આવા નાના ભૂકંપ ના આંચકા અમુક સમયે પૂરા થતા પૂરા થઈ જઈ જતા હોય છે
જેથી આપણે સાવચેતી ના પગલા રૂપે લોકોમાં જાગૃતતા રાખવાનું સૂચન મળેલ છે.જેમાં આ વિસ્તાર સિસમિક જોન -3 માં આવતો હોઈ 2 ની તીવ્રતા થી નાના હુકમ ના આજકા અનુભવતા હોય સાવચેતીના પગલાં રૂપે જાગૃતતા રાખવી.અગાઉ પણ શાપર-વેરાવળ, ગુંદાસરા, પડવલા,સહિતના વિસ્તારોમાં ભારે હળવા આચકા બપોરના સોમવારે અનુભવાયા હતા. જેને લય આ બાબતે જિલ્લા કલેકટર પ્રભવ જોશી સાહેબના ની સૂચના મુજબ શનિવારે ડિઝાસ્ટર મામલતદાર દ્વારા પારડી ગ્રામ પંચાયત, પડવલા ગ્રામ પંચાયત, અને વેરાવળ ગ્રામ પંચાયત, ખાતે કોટડાસાંગાણીના મામલતદાર સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહીને
તલાટી તલાટી કમ મંત્રી સાથે ની ટીમ દ્વારા ભૂકંપના આચકા અંગે વિગતવાર જાણકારી મેળવવામાં આવી હતી.
ના અધિકારીઓની ટિમ દ્વારા થયેલી તપાસના ધારણ મુજબ આ ભૂકંપના હળવા આંચકામાં કોઈ પણ જાતની જાનમાલની નુકસાની થયેલી નહોતી. ઉપરાંત આ બાબતની જાણ ગાંધીનગર ખાતે ડાયરેક્ટર જનરલ ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ્સને પણ કરવામાં આવી અને તેમના દ્વારા આજરોજ એક ટેકનિકલ ટીમ દ્વારા વિઝીટ કરાવવામાં આવી અને જિલ્લા વહીવટી તંત્રને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં ભૂકંપ અંગે સર્ચ કરવામા આવ્યું હતું.
જેમાં આ તકે વેરાવળના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા, અને તલાટી કમ મંત્રી વનરાજસિંહ ગોહિલ સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય ધીરુભાઈ કોરાટ, મામલતદાર ડિઝાસ્ટર આર જી લુણાગરીયા સાહેબ, અને નાયબ મામલતદાર એ.ડી.મોરી. તેમજ ડીપીઓ પૂજાબેન વાઘમારે સહીત ના ઉપસ્થિત રહ્યા હતા..

