દિ વાળીના પાવન પર્વે સાવરકુંડલા શહેરમાં ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદો માટે જીવન જરૂરિયાતનુ કરિયાણું તેમજ મીઠાઈઓની કીટનું વિતરણ કરીને દિવાળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરી છે. આ પરિવાર દ્વારા છેલ્લા ૭ વર્ષથી સમાજસેવાના ક્ષેત્રે બ્લડ ડોનેશન કેમ્પ, વિના મૂલ્ય છાશ કેન્દ્ર, ગરમ કપડાનું વિતરણ, કરિયાણાની કીટ, શિક્ષણ, મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડે છે. દિવાળી નિમિત્તે મહાકાળી ચોક ખાતે આયોજિત મીઠાઈ તેમજ કરિયાણાની કીટના કાર્યક્રમમાં જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓની વિના મૂલ્યે કીટનું વિતરણ કરવામાં આવ્યું.

છેલ્લા સાત વર્ષથી સાવરકુંડલા શહેરના ૧૮૦૦ થી વધુ પરિવારોને વિના મૂલ્ય છાશનું વિતરણ કરવામાં આવે છે. શ્રી ગાયત્રી મંદિર, જલારામ મંદિર અને અન્ય સ્થળોએ નિયમિત ચાલતા આ છાશ કેન્દ્રો ખેતાણી પરિવારના સેવાકાર્યનું પ્રતીક છે. આ પ્રસંગે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જણાવ્યું હતું કે, “સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન મહાવીરના આદર્શોને અનુસરીને ખેતાણી પરિવાર દ્વારા સમાજસેવાના કાર્યો કરે છે “

ખેતાણી પરિવારનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે. આવા સેવાભાવી કાર્યોથી સમાજમાં સહકાર અને એકતા વધે છે. આપણે પણ આવા સેવાકાર્યોમાં ભાગ લઈને સમાજનું ભલું કરી શકીએ છીએ. નાની મોટી સેવાઓ કરીને આપણે પણ કોઈના જીવનમાં ખુશીઓ ફેલાવી શકીએ છીએ. આ સેવાના સેવાર્થી પ્રદીપભાઈ દોશી, જયંતીભાઈ વાટલીયા, મુકેશભાઈ ત્રિવેદી, પિયુષભાઈ મશરૂ, વિદુલાબેન સૂચક, કમલેશભાઈ રાનેરા તેમજ સતિષભાઈ પાંડે નંદલાલભાઈ સાદીયા પોતાની સેવા આપીને આનંદ અનુભવ્યો હતો
બિપીન પાંધી