વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર તરફથી પ્રતિ વર્ષ માર્ચના છેલ્લા શનિવારે અર્થ અવર ડેનું આયોજન કરવામાં આવે છે. વિશ્વમાં પ્રતિ વર્ષ આ દિવસે રાત્રે 8.30 થી 9.30 વાગ્યા સુધી વિશ્વના કરોડ લોકો સ્વચ્છાએ એક કલાક માટે લાઇટ બંધ કરી દે છે. શહેરના લોકો પણ જાગૃતિ અભિયાનમાં સ્વયંભૂ જોડાશે.
અર્થ અવરનો પ્રારંભ 2007માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી થઈ હતી. વિશ્વમાં ધીમે- ધીમે એ લોકપ્રિય થઈ ગયું. વર્ષ 2008માં 35 દેશોએ અર્થ અવર ડે માં ભાગ લીધો હતો. હવે ‘અર્થ અવર ડે’માં 178 દેશો સામેલ થઈ ગયા છે.
સામાન્ય રીતે માર્ચના છેલ્લા શનિવારે લોકો કેન્ડલ સળગાવીને અર્થ અવર ઊજવે છે. અર્થ અવર ડે ઊજવવા પાછળ મુખ્ય ઉદ્દેશ ઊર્જાની બચત કરવાનો અને પ્રકૃતિની સુરક્ષા માટે જળવાયુ પરિવર્તન અને સતત વિકાસ પર ધ્યાન આપવાનો છે.
એ સાથે પ્રકૃતિને નુકસાનને અટકાવાનો છે. એના આયોજનના માધ્યમથી વિશ્વના લોકો પ્રતિ દિન પ્રકૃતિને થતા નુકસાન પ્રત્યે જાગરુક કરવામાં આવે છે.
ભારતમાં આ દી’ ઉજવવાની શરૂઆત 2009 માં થઈ
ભારતમાં વર્ષ 2009 માં આ દિવસની શરૂઆત થઈ હતી. જેમાં 58 શહેરોમાં 5 મિલિયન લોકોએ ભાગ લીધો હતો.
આ પછી,વર્ષ 2010 માં આ ઝુંબેશમાં 128 શહેરોમાંથી 70 લાખ લોકોએ ભાગ લીધો હતો.આ દિવસની ઉજવણીમાં વર્ષ 2018 માં દિલ્હીની જનતાએ સૌથી વધુ 305 મેગાવોટ વીજળી બચાવી હતી. તે જ સમયે, વર્ષ 2020 માં 79 મેગાવોટ વીજળીની બચત થઈ.

