સાવરકુંડલામાં વર્ષોથી ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજીનો છઠ ઉત્સવ ઉજવવામાં આવે છે ,એ જ પરંપરાગત રીતે ગતરોજ શ્રી લોહાણા મહાજન વાડી ખાતે ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ મહા ઉત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો દ્વારા પોતાના ઘરેથી લોહાણા મહાજન વાડી ખાતે લોટીજી પધરાવીને શ્રી યમુનાજીના પાઠ સત્સંગ ધોલ પદ અને ભગવત નામનો અલૌકિક લાભ મેળવીને દરેક વૈષ્ણવોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો એમ યોગેશ ઉનડકટની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

