Gujarat

જામનગરમાં નવા ST બસ સ્ટેશનનું ખાતમૂહુર્ત, રૂા. 14.48 કરોડ ખર્ચાશે

જામનગરમાં નવનિર્મિત થનાર એસ.ટી.બસ સ્ટેશનનું ખાતમુહુર્ત કરાયું છે. જુના અને જર્જરીત બસ સ્ટેશનને પાડી આરસીસી ફ્રેમ સ્ટ્રકચરનું બાંધકામ કરવામાં આવશે

. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા જામનગરનું એસ.ટી.બસ સ્ટેન્ડ નવું બનાવામાં આવશે. આ માટે ફાળવવામાં આવેલી સહાયમાંથી જામનગરના જુના અને જર્જરીત બસ સ્ટેશનને તોડી પાડી આરસીસી ફ્રેમ સ્ટ્રકચરનું નવીન બસ સ્ટેશન બનાવામાં આવશે.

આ નવા નિર્માણ થનાર એસ.ટી.બસ સ્ટેશનના કામનું ખાતમૂહુર્ત ગુરૂવારે મેયર વિનોદ ખીમસૂર્યા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રૂ.1448.25 લાખના ખર્ચે 17263 ચોરસ મીટરમાં આ નવું બસ સ્ટેન્ડ બનશે. જેમાં ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળ હશે.

પ્રથમ માળ પર પુરૂષ અને મહીલા ડ્રાઇવર, કન્ડકટર માટે રેસ્ટરૂમ, શૌચાલય, લોકરરૂમ, મુસાફરો માટે શૌચાલય, બે ઓફીસ, 8 દુકાનનો સમાવેશ થાય છે. — 13 પ્લેટફોર્મ –મુસાફરો માટે વેઇટીંગ હોલ –બુકીંગ-રીઝવેર્શન બારી –સ્ટુડન્ટ પાસ ઇન્કવાયરી –વીઆઇપી વેઇટીંગ રૂમ –લેડીઝ, જેન્ટસ રેસ્ટરૂમ –બેબી ફીડીંગ રૂમ –કીચન સાથે કેન્ટીન –વોટર રૂમ, વોશ એરિયા –મુસાફરો માટે શૌચાલય –દિવ્યાંગો માટે રેમ્પ સહિતની સુવિધા