પાલનપુર ગઠામણ દરવાજા નજીક આવેલ હરસિદ્ધિ મોલ આગળ છેલ્લા ઘણા દિવસોથી વીજ થાંભલો નીચે પડી ગયો છે. અહીથી દિવસ દરમિયાન હજારો લોકો અવર જવર કરતા હોય છે. શહેરનો મુખ્ય માર્ગ પર ઘણા દિવસથી જમીન દોસ્ત થયેલ આ વીજ થાંભલો કોઈ અક્સ્માત નોતરે એ પહેલા ઉઠાવી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

