હાઇવે પર મોસમોટા ખાડા ના કારણે બનાવ બન્યો.
રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવેની બદતર હાલત ના કારણે અકસ્માતના બનાવો બન્યા છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં તાલુકાના સાંકડી ગામના પાટીયા નજીક નેશનલ હાઈવે પર કારચાલક ખાડા તારવા જતા બે બાઈકોને અડફેટે લેતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બનાવની વિગતો મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી અને વંથલી ટોલનાકા નીચે આવતો એન.એચ આઈ હાઈવે જેતપુર જુનાગઢ નેશનલ હાઈવે પર સાંકળી ગામના પાટીયા નજીક અને રાજાણી ની નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં તાલુકાના પીપળવા ગામના બે કૌટુંબિક ભાઈઓ બાઈક પર પીપળવા ગામ જઈ રહ્યા હતા ત્યારે. નેશનલ હાઈવે પર અતિશય ખાડાઓના કારણે કારચાલક અને મોટરસાયકલ ચાલકો ખાડા તરવા જતા બંને મોટરસાયકલોને અડફેટે લેતા બંને મોટરસાયકલ તેમજ કાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો

જેમાં એક બાઈક પર ત્રણ લોકો સવારે હતા જ્યારે બીજી બાઇક પર બે લોકો સવાર હતા જેમને વધુ ઇજાઓ પહોંચી હતી. જેમાં લખુભાઇ ડાભી,તેમની પુત્ર અજય,તેમજ તેમની પુત્રી હેતલબેન ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે બીજી બાઈકમાં સવાર અજય ભોપાભાઈ ડાભી, ભોપાભાઈ ભીખાભાઈ ડાભી રોડ સાઈડમાં ફગોળાઈને નીચે પડ્યા હતા જ્યારે કાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામને 108 મારફતે સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા. આ ત્રીપલ અકસ્માત સર્જતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને લોકોએ આક્રોશ ઠલવ્યો હતો.

કે હાઇવે ઓથોરિટી ટોલટેક્સ અને સરકાર ટેક્સના પૈસા વસૂલી રહી છે. તેમ છતાં સારા રોડ હજુ સુધી બન્યો નથી. હાઈવે સોમનાથ સુધી જતો હોય છે પરંતુ સરકાર દ્વારા કે તેમના પ્રતિનિધિ દ્વારા હજુ આ હાઇવે પર ખાડા રીપેરીંગ કે નવો બનાવવાની કોઈ પણ પ્રકારની તસ્દી નથી લીધી. અને લોકોએ રોષ ઠાલવ્યો હતો

