Gujarat

ગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. ૮,૭૪૩ કરોડની ફાળવણી : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટો માટે ફાળવણીમાં જંગી વધારો થતાં આ વર્ષે રૂ.૮૭૪૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષના અંદાજપત્રમાં જોગવાઈઓ અંગે મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક તથા આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણુએ આજે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૯-૨૦૧૪ દરમિયાન રૂ. ૫૮૯ કરોડના ર્વાષિક સરેરાશ ખર્ચની સરખામણીમાં ગુજરાત માટેના ખર્ચમાં આશરે ૧૫ ગણો વધારો થયો છે. મંત્રીએ માહિતી આપી હતી કે ગુજરાતમાં ૩૦,૮૨૬ કરોડની કિંમતના ૨,૯૪૮ કિમીને આવરી લેતા (નવા ટ્રેક) સહિત ૪૨ પ્રોજેક્ટ ચાલુ છે.

સાથે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતના ૮૭ સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે જેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભચાઉ, ભક્તિનગર, ભાણવડ, ભરૂચ, ભાટિયા, ભાવનગર, ભેસ્તાન, ભીલડી, બીલીમોરા જંકશન, બોટાદ જંકશન, ચાંદલોડિયા, ચોરવાડ રોડ, ડભોઇ જંકશન, દાહોદ, ડાકોર, ડેરોલ, ધ્રાગધ્રા, દ્વારકા, ગાંધીધામ, ગોધરા જંકશન, ગોંડલ, હાપા, હિંમતનગર, જામ જોધપુર, જામ વંથલી, જામનગર, જુનાગઢ જંકશન, કલોલ જંકશન, કાનાલુસ જંકશન, કરમસદ, કેશોદ, ખંભાળિયા, કીમ, કોસંબા જંકશન , લખતર, લીંબડી, લીમખેડા, મહેમદાવાદ ખેરા રોડ, માહેસ્ના જંકશન, મહુવા, મણિનગર, મીઠાપુર, મિયાગામ કરજણ જંકશન, મોરબી, નડિયાદ જેએન, નવસારી, ન્યુ ભુજ, ઓખા, પડધરી, પાલનપુર જંકશન, પાલિતાણા, પાટણ, પોરબંદર, પ્રતાપનગર, રાજકોટ જંકશન, રાજુલા જંકશન, સાબરમતી બીજી, સાબરમતી એમજી, સચિન, સામખિયાળી, સંજાણ, સાવરકુંડલા, સાયનસિદ્ધપુર, સિહોર જંકશન, સોમનાથ, સોનગઢ, સુરત, સુરેન્દ્રનગર, થાન, ઉધના, ઉદવાડા, ઉમરગાંવ રોડ, ઊંઝા, ઉતરણ, વડોદરા, વાપી, વટવા, વેરાવળ, વિરમગામ, વિશ્વામિત્રી.
ટ્રેકના વિકાસની વાત કરીએ તો, ૨૦૦૯-૧૪ દરમિયાન ૧૩૨ કિમીની સરખામણીમાં ૨૦૧૪-૨૦૨૪ દરમિયાન ૨૨૪ કિમી જ્યારે ગુજરાતમાં ૨૦૦૯-૧૪ દરમિયાન માત્ર ૧૩ કિમીની સરખામણીમાં ૨૦૧૪-૨૪ દરમિયાન ૩૦૦ કિમીનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં, ૨૦૧૪ થી ગુજરાતમાં ૯૮૯ રેલ ફ્‌લાયઓવર અને અન્ડર-બ્રિજ બનાવવામાં આવ્યા છે.