Gujarat

ગઝવા-એ-હિંદ માટે જ્યારે અમે નિકળીશું ત્યારે કાફિર નેતાઓને પહેલા ખતમ કરીશું : ઝૈદ હામિદ

હાલમાં પાકિસ્તાન દ્વારા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પાકિસ્તાનનો એક કથિત સંરક્ષણ નિષ્ણાત ભારત પર કબજાે કરવાની વાત કરી રહ્યો છે. આ ક્લિપમાં, લાલ ટોપી રાજકીય કોમેન્ટેટર ઝૈદ હામિદ કહી રહ્યો છે કે ભારતને કબજે કર્યા બાદ સૌથી પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઇજીજી વડા મોહન ભાગવત તેના નિશાને હશે. પાકિસ્તાન તરફથી માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટર (ઠ) પર શેર કરવામાં આવેલ ઓડિયોમાં ઝૈદ હામિદ કહી રહયો છે કે પાકિસ્તાની આર્મી અને ૈંજીૈંના ટાર્ગેટ પર ભારતના મુખ્ય નેતાઓ છે.

સૌથી પહેલા તેમને ખતમ કરવામાં આવશે. જાેકે, હાલ તો આ ઓડિયો ક્લિપમાં કેટલી સચ્ચાઈ છે તેની પુષ્ટિ નથી થઈ શકી. આ ઓડિયોમાં ઝૈદ કહી રહ્યો છે કે વાદહરે સમય નહીં લાગે, આ વર્ષે જ આ થશે અને ટૂંક સમયમાં યુદ્ધ શરૂ થશે. આ વાત ઝૈદ હામિદ કોઈને કહી રહ્યો છે, જેની ઓડિયો ક્લિપ શેર કરવામાં આવી છે. વાયરલ ઓડિયોમાં ઝૈદ કહેતો સંભળાઈ રહ્યો છે કે ‘તેની ડેડલાઈન ભારતમાં ૨૦૨૪ની ચૂંટણી છે.

જાે ચૂંટણી દરમિયાન લડાઈ શરૂ થશે તો ચાર લોકો આપણી સેના અને ૈંજીૈંના નિશાના પર હશે. કુરાન કહે છે કે કાફિર નેતાઓને પહેલા ખતમ કરી દેવા જાેઈએ. અમે આ સ્વીકારીશું અને ગઝવા-એ-હિંદ માટે જ્યારે અમે નિકળીશું ત્યારે સ્પષ્ટ છે કે પહેલા આ નેતાઓને ખતમ કરીશું. ઝૈદે ઓડિયોમાં આગળ જણાવ્યું છે કે, ‘ભારતના અસલી શાસક તો મોહન ભાગવત છે, તેથી સૌથી પહેલા મોહન ભાગવતને નિશાન બનાવાશે. ત્યારબાદ, પીએમ મોદી અને યોગી આદિત્યનાથ. આ ત્રણ બાદ મુંબઈના બાળ ઠાકરેનો પરિવાર અમારા નિશાને હશે. આ લોકોએ મુસ્લિમો પર ઘણા અત્યાચાર કર્યા છે.