International

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શાહબાઝ સરકારને મોટી રાહત આપી, સરકારના સમર્થનમાં ર્નિણય આપ્યો

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શાહબાઝ સરકારને મોટી રાહત આપી છે, શુક્રવારે તેના એક ર્નિણયમાં કોર્ટે દેશના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં થયેલા ફેરફારોને ફરીથી લાગુ કર્યા છે. પાકિસ્તાનના ઘણા રાજનેતાઓને આનો ફાયદો થશે, જેમાં વડાપ્રધાન શહેબાઝ શરીફ અને તેમના મોટા ભાઈ નવાઝ શરીફનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસાની બેન્ચે ૬ જૂને ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. ૫ ન્યાયાધીશોની આ બેન્ચે ફેડરલ સરકાર અને કેટલાક પક્ષકારો દ્વારા દાખલ કરવામાં આવેલી ઇન્ટર-કોર્ટ અપીલ (ૈંઝ્રછજ) પર સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે તેના અગાઉના ર્નિણયને ઉલટાવી દીધો જેમાં દ્ગછમ્ કાયદામાં કરાયેલા સુધારાને રદ કરવામાં આવ્યા હતા. કોર્ટે શાહબાઝ સરકાર અને અન્ય અસરગ્રસ્ત પક્ષકારો દ્વારા દાખલ કરેલી અપીલને સ્વીકારી હતી.

વાસ્તવમાં, શહેબાઝ શરીફની સરકારે મે ૨૦૨૩માં દ્ગછમ્ કાયદામાં સુધારો કર્યો હતો. જેની પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી. આરોપ છે કે આ સુધારાથી શાસક પક્ષ સાથે સંકળાયેલા ઘણા નેતાઓ સામેના ભ્રષ્ટાચારના કેસ પાછા ખેંચવાનો માર્ગ મોકળો થશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, વડા પ્રધાન શેહબાઝ શરીફ અને તેમના મોટા ભાઈ નવાઝ શરીફને ફાયદો પહોંચાડવા માટે કાયદામાં સુધારો કર્યો હતો. આ સુધારા વિરુદ્ધ ઈમરાન ખાન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને સરકારના ર્નિણયને પડકાર્યો હતો, ત્યારબાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ સંશોધનને રદ્દ કરી દીધું હતું.

શુક્રવારે આપવામાં આવેલા ર્નિણયમાં, સુપ્રીમ કોર્ટે શાહબાઝ સરકાર અને અન્ય પક્ષકારોની અપીલને સ્વીકારીને, આ સુધારાને પુનઃસ્થાપિત કર્યો છે, જેને કોર્ટે પોતે અગાઉ ગેરબંધારણીય જાહેર કર્યો હતો. તાજેતરના ર્નિણયમાં, કોર્ટે ટિપ્પણી કરી છે કે મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશો સંસદના ‘ગેટ કીપર’ ન હોઈ શકે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ શક્ય હોય ત્યારે સુપ્રીમ કોર્ટે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવો જાેઈએ. સુનાવણી દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતા. ઈમરાન ખાન ઘણા કેસોને કારણે લગભગ એક વર્ષથી જેલમાં છે.