રશિયાની રાજધાની મોસ્કોમાં ગયા મહિને એટલે કે માર્ચમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે અમેરિકા પર આગામી આતંકવાદી હુમલાનો ખતરો છે. અમેરિકાના ઈન્ટેલિજન્સ બુલેટિનમાં તાજેતરમાં આ અંગે ચેતવણી આપવામાં આવી છે. અમેરિકન કાયદા અમલીકરણ અધિકારીઓએ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ૨૨ માર્ચે મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકો સહિત લગભગ ૧૪૪ લોકો માર્યા ગયા હતા અને ૫૫૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અમેરિકાના ઇન્ટેલિજન્સ બુલેટિનમાં તાજેતરમાં ચેતવણી આપવામાં આવી હતી કે અમેરિકામાં રહેતા ISISના કટ્ટરપંથી સભ્યો મોસ્કોની જેમ અમેરિકા પર હુમલો કરી શકે છે. અમેરિકન એજન્સી એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યોરિટીના ઈન્ટેલિજન્સ ઇનપુટમાં ચેતવણી આપવામાં આવી છે કે આ હુમલો ૮ એપ્રિલે થઈ શકે છે, કારણ કે તે દિવસે સૂર્યગ્રહણ છે અને આ દરમિયાન લોકો એકઠા થશે કે જેમને નિશાન બનાવી શકાય છે. અમેરિકાએ ચેતવણી આપી હતી કે આતંકવાદી જૂથ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને ધ્યાનમાં રાખીને વિશ્વભરમાં ૈંજીૈંજીના સભ્યો હુમલા કરી શકે છે. મોસ્કોમાં થયેલા હુમલા વિશે વાત કરતી વખતે આતંકવાદી જૂથે અન્ય ભીડભાડવાળી જગ્યાઓ પર હુમલાને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી, તેની સાથે તેણે કહ્યું હતું કે, એ જરૂરી નથી કે હુમલો કરનાર વ્યક્તિ ૈંજીૈંજીનો સભ્ય હોય. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગત મહિને મોસ્કોમાં થયેલા હુમલા બાદ તાજિકિસ્તાનના નાગરિક તરીકે ઓળખાતા નવ શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી.
કોન્સર્ટ હોલમાં થયેલા હુમલા બાદ આ તમામની ધરપકડ કરવામાં આવી હતી. કોન્સર્ટ હોલમાં બંદૂકધારીઓએ ઓટોમેટિક હથિયારોથી કોન્સર્ટમાં જનારાઓ પર ગોળીબાર કર્યો અને પછી હોલમાં આગ લગાવી દીધી, ત્યારબાદ આગ ઝડપથી સમગ્ર સંકુલમાં ફેલાઈ ગઈ. હુમલા બાદ અમેરિકાએ કહ્યું કે તેણે આ હુમલા અંગે રશિયાને ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ ૭ માર્ચે જ એક ચેતવણી જારી કરી હતી, જેમાં રશિયામાં રહેતા અમેરિકન નાગરિકોને ભીડવાળી જગ્યાઓ અથવા કોઈપણ પ્રકારના કાર્યક્રમમાં જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું હતું, જાે કે તેમને આનું કારણ જણાવવામાં આવ્યું ન હતું.
સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુએસ સરકારે તેની લાંબા સમયથી “ચેતવણી આપવાની ફરજ” નીતિ હેઠળ રશિયન અધિકારીઓ સાથે સંભવિત હુમલા વિશેની માહિતી શેર કરી હતી. આ હુમલા પછી, ૈંજીૈંજીએ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં તેણે દાવો કર્યો કે તેના લડવૈયાઓએ મોસ્કોમાં ખ્રિસ્તીઓના એક મોટા મેળાવડા પર હુમલો કર્યો હતો.

