National

હાલ 2905 મીટર લંબાઈ ધરાવતો રન-વે, પૂરતી જમીન ઉપલબ્ધ હોવા છતાં તેને ડુમ્મસ બાજુ આગળ વધારી શકાતું નથી, કેન્દ્રીય મંત્રીને પત્ર

સુરત એરપોર્ટ માટે કાર્યરત સંસ્થા ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત’એ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના મંત્રીને ઇ-મેલ થકી પત્ર મોકલી ઘણી રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને રન-વે વિસ્તરણ માટે ઉલ્લેખ કરાયો છે.

પૂરતી જમીન ઉપલબ્ધ છતાં આગળ વધારી શકાતું નથી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી જણાવ્યું હતું કે, આ સંસ્થા સુરત ખાતે કાર્યરત એરપોર્ટ છે. આ જૂથના સંચાલકો, મંત્રીના ધ્યાન પર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વેના વિસ્તરણને લગતી એક તાકીદની બાબત લાવવા માગે છે, જે મહત્વપૂર્ણ જાહેર હિતનો પ્રોજેક્ટ છે.

જેમ તમે જાણો છો તેમ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તેના રન-વેની 2905 મીટર લંબાઈ ધરાવતું એરપોર્ટ છે અને પૂરતી જમીન ઉપલબ્ધ હોવા છતાં તેને ડુમ્મસ બાજુ (સી સાઇડ) તરફ આગળ વધારી શકાતું નથી.