દયાબેન છેલ્લા ૬ વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જાેવા મળ્યા નથી. દિશા વાકાણીએ ૨૦૧૮માં મેટરનિટી લીવ લીધી હતી. તારક મહેતા શોની દયાભાભી દિશા વાકાણી ૨ બાળકોની માતા બની છે. આવી સ્થિતિમાં તેના માટે કોમેડી શોમાં વાપસી કરવી મુશ્કેલ લાગી રહી છે. જાેકે, નિર્માતા અસિત મોદી હજુ પણ દિશાની વાપસી માટે આશાવાદી છે.
એક ઈન્ટરવ્યુમાં આસિત મોદીએ કહ્યું હતું કે દયાબેનનું શોમાં પરત આવવામાં કેટલાક કારણોથી વિલંબ થઈ રહ્યો છે. આઇકોનિક પાત્ર માટે શોમાં પરત આવવું ખૂબ જ જરૂરી છે. તે કહે છે- હું પણ દયાબેનને યાદ કરું છું. ક્યારેક સંજાેગો એવા હોય છે કે વસ્તુઓ થાય છે અને પછી અટકી જાય છે. ક્યારેક વાત લાંબી થઈ જાય છે.
ક્યારેક મોટી ઘટનાઓ બને છે. ૨૦૨૪માં ચૂંટણી હતી,IPL હતી અને પછી વર્લ્ડ કપની મેચો હતી. વરસાદની મોસમ હતી. કોઈને કોઈ કારણસર, દયાબેનનું શોમાં પાછા આવવામાં વિલંબ થાય છે. અસિત મોદીએ સ્વીકાર્યું કે તેઓ દિશા વાકાણીને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને લાગે છે કે દિશા પાછી આવી શકશે નહીં. તેમને બે બાળકો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, દિશા મારી બહેન જેવી છે. આજે પણ તેમના પરિવાર સાથે મારો ગાઢ સંબંધ છે. દિશાએ મને રાખડી બાંધી છે. તેના પિતા અને ભાઈ પરિવાર જેવા છે. અમે ૧૭ વર્ષથી સાથે કામ કર્યું છે. તેઓ મારો પરિવાર બની ગયા છે. તેના માટે શોમાં વાપસી કરવી મુશ્કેલ લાગી રહી છે. તેના માથે બે બાળકો અને ઘરની જવાબદારી છે.

