રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મંત્રીશ્રીઓને મહાત્મા મંદિર પરિસરમાં ગૌરવશાળી સમારોહમાં શપથ ગ્રહણ કરાવ્યા
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં.
આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રી સમક્ષ નાયબ મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૫ અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં ૩ તથા રાજ્ય કક્ષાના ૧૨ પદનામિત મંત્રીશ્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં.
કેબિનેટ મંત્રી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્નભાઇ વાજા અને શ્રી રમણભાઈ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.
રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી પ્રફુલ્લ ભાઇ પાનસેરીયા તથા શ્રીમતી મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી કાંતિલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ કટારા, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શ્રી કૌશીકભાઈ વેકરીયા, શ્રી પ્રવિણકુમાર માળી, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી પી.સી. બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રિવાબા જાડેજાએ રાજ્યપાલશ્રી સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબનેટ મંત્રીઓ સવર્શ્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજી ભાઇ બાવળીયા તથા રાજ્યકક્ષાના શ્રી પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે.
આ શપથ વિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સવર્શ્રી મનસુખ માંડવીયા,સી. આર. પાટીલ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સચિવ શ્રી પંકજ જાેષીએ આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.