શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ના આંખના વિભાગમાં એક અત્યંત જટિલ રસપ્રદ અને અનોખું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.
સાવરકુંડલા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા (૧૦૦% નિઃશુલ્ક મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ) ખાતે છેલ્લા સાડા ત્રણ વર્ષથી આંખનો (ઓપ્થાલ્મોલોજી) વિભાગ સફળતા પૂર્વક કાર્યરત છે. અહી છેલ્લા બે મહિનાથી ડૉ મૃગાંક પટેલ ફૂલટાઇમ ઓપ્થાલ્મોલોજીસ્ટ ડોક્ટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ડૉ. મૃગાંક પટેલ કે જેઓ એક અનુભવી ઓપ્થાલ્મોલોજીસ્ટ છે અને ઘણા બધા જટિલ ઓપરેશન ખુબ જ સરળતા પૂર્વક કરી ચુક્યા છે. અહી જટિલ મોતિયો, વેલ તથા આંખમાં છારી બાજી જવાના ઓપરેશન નિયમીત કરવામાં આવે છે.
આ વિભાગમાં તાજેતરમાં જ એક રસપ્રદ કેસ આવ્યો કે જેમાં ૮ વર્ષના એક બાળકની આંખની પાંપણમાં ખુબ જ દુખતું હતું ખૂબ ખંજવાળ આવતી હતી અને આંખ લાલચોળ થયેલી હતી જેના લીધે બાળકને ખુબ જ મુશ્કેલીમાં હતું. ડૉ. મૃગાંક પટેલ સાહેબ દ્વારા બાળકની આંખની જીણવટ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકની આંખની પાંપણમાં જંતુ છે એ પણ એક બે નહિ ઘણીબધી સંખ્યામાં. જે માટે ઓપરેશન ઇન્જેકશનથી કરવું પડે. પરંતું સાહેબે આ ઓપરેશન ઇન્જેક્શન વિના ટીપા નાખીને અતિ-આધુનિક મશીન દ્વારા કર્યું. આ ઓપરેશનમાં ડૉ. મૃગાંક પટેલ અને એમની ટીમ ની મહેનતથી બાળકની આંખની પાપણમાંથી ૨૮ થી ૩૦ જેટલા જીવિત જંતુ(માથાની જું)કાઢવામાં આવ્યા (જે ફોટામાં એક સફેદ કાગળમાં દેખાઈ રહ્યા છે). આ જટિલ ઓપરેશન બાદ તુરંત જ બાળકને ખૂબ રાહત નો અનુભવ થયો અને બાળકને તરત જ રજા આપી દેવામાં આવી.અતિ જટિલ સફળ ઓપરેશન ના બીજા જ દિવસે બાળકને ફરી જોવા માટે આંખની ઓપીડીમાં બતાવ્યું ત્યારે આંખ એકદમ તંદુરસ્ત હતી.આ સફળ ઓપરેશન બાદ બાળક તથા એમના માતા-પિતા અતિ મુશ્કિલ પરિસ્થિતિ માંથી રાહત મેળવી છે અને ખૂબ આનંદિત છે તેવું આરોગ્ય મંદિરના સતત કાર્યશીલ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા