સુરતના કામરેજ ખાતે ધોરણ પારડી માં આવેલ આશીર્વાદ માનવ મંદિર આશ્રમે આજ રોજ ભમરીયા ગામના વતની મેરુલીયા બંધુ એવા બાબુભાઈ અને હરેશભાઈ મેરુલીયા એ સ્વર્ગસ્થ પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આશ્રમ માં આશ્રીત 700 થી વધુ પ્રભુજી ઓને ભોજન પ્રસાદ પીરસવાની સેવા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સુરતના કામરેજ ખાતે ધોરણ પારડી માં આવેલ આશીર્વાદ માનવ મંદિર આશ્રમે મનો દિવ્યાંગ અને બેઘર રસ્તા પર રખડતા ભટકતા બાળકો યુવાનો વડીલો ને છેલ્લા એક દસકા થી આશ્રય આપી બીમારી અનુસાર સારવાર સાથે રહેવા જમવાની વ્યવસ્થા કરવાની સેવા પ્રવૃતિ આપવામા આવે છે અને સમયાન્તરે સમયાન્તરે તેઓને તેમના જ પરિવાર સાથે મિલન પણ કરાવવામાં આવે છે.
સુરતની આ સંસ્થા અને સંસ્થા ના સંચાલક જેરામ ભગત ની સેવા થી પ્રેરીત થઈ આજ રોજ મેરુલીયા બંધુ એવા શ્રી બાબુભાઈ અને શ્રી હરેશભાઈ મેરુલીયા એ સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આશ્રમ માં આશ્રીત 700 થી વધુ પ્રભુજી ઓને ભોજન પ્રસાદ પીરસવાની સેવા આપી હતી. આ વેળાએ શહેરના સેવાભાવી વ્યક્તિ અને ગ્રીન આર્મી ગ્રુપ ના સક્રિય સૈનિક તથા ગ્રીન મેન તરીકે ના ઉપનામ થી ઓળખાતા શ્રી મનસુખભાઈ ડાયાભાઇ કાસોદરીયા અને મુંબઈ તરંગ ન્યૂઝ ના ચીફ એડીટર તંત્રીશ્રી દિલીપભાઇ પટેલ સવિશેષ ઉપસ્થીત રહ્યા હતા.
મેરુલીયા બંધુઓએ જણાવ્યું હતું કે આજની દુર્લભ સેવા માં સહભાગી થવાનો અમોને ઉમદા લાભ મળ્યો છે અમારા પૂજ્ય પિતાશ્રીની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે એજ વિનમ્ર પ્રાર્થના કરીએ છીએ.
મનસુખભાઈ અને દિલીપભાઈ એ પણ જણાવ્યું આજના દિને મારુલીયા બંધુ સહિત અમને પણ આજની સેવાના દર્શન અને 700 થી વધુ પ્રભુજી અને આશ્રમ ના સંચાલક જેરામ ભગત ને મળવાનો અવસર મળ્યો તેમજ બાબુભાઇ અને હરેશભાઈ ના પિતાશ્રી ને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ સમસ્ત માનવ સમાજ જોગ શુભ સંદેશ સાથે અપીલ કરી હતી કે જો આપના પણ સ્વજન ની તિથી હોય, બાળકોના જન્મદિન હોય, લગ્ન ની વર્ષગાંઠ હોય કે કોઈપણ અન્ય પ્રસંગ હોય અચૂક આ આશ્રમ ની મુલાકાત લેજો અને પ્રભુજીઓના અનન્ય આશિર્વાદ મેળવજો…
માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત આશિર્વાદ માનવ મંદિર આશ્રમ મુ. ધોરણ પારડી ગામની સામે ટોલ નાકા પાસે
તાલુકો કામરેજ જીલ્લો સુરત
સંચાલક : – જેરામ ભગત 9879392092