જુનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માં ઈન્ટરનેટની વિદ્યાર્થીઓ પર થતી સામાજીક અને શૈક્ષણિક અસરો વિષયે ડો. કૃણાલ પંચાલ દ્વારા શોધનિબંધ પ્રસ્તુત કર્યો
જુનાગઢ દરેક વસ્તુના ફાયદા પણ હોય છે અને નુકશાન, પણ આ વાત આજની સોશિયલ મીડિયા ક્રાંતિના વિશે કહી શકાય છે, અગણિત ફાયદા સાથે તેની ઘણા દુષ્પ્રભાવ પણ જોવાઈ શકે છે. – પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણ, કૂલપતિ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.
જૂનાગઢ તા.૩૦, ભક્તકવિ નહસિંહ મહેતા યુનિ.નાં સોશ્યલ સ્ટડીઝ એન્ડ સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે રજીસ્ટ્રર્ડ થયેલ શોધસ્કોલર્સ ડો. કૃણાલ એમ. પંચાલે આજે ઈન્ટરનેટ અને એમાય સોશ્યલ માધ્યમોની વિદ્યાર્થીઓ અને બાળમાનસ પર થતી સામાજીક અને શૈક્ષણિક અસરો વિશે શોધપત્ર પ્રસ્તુ કરવામાં આવ્યુ હતુ. જેને સરદાર પટેલ યુનિ.નાં રમેશભાઇ મકવાણાનાં અધ્યક્ષસ્થાને આ સંશોધનો પર વિસ્તૃત સમીક્ષા બાદ શોધસ્કોલર્સને પીએચ.ડીની પદવી માટે ભલામણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે આજના ઈન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં ખુબ જ ક્રાંતિ થઈ રહી છે સાંપ્રત સમયમાં સોશ્યલ મીડિયા ખુબ જ ગતી કરી રહ્યુ છે. સોશ્યલ મીડિયા આવવાથી કેટલીક વાતમાં લાભપ્રદ તો અમુબ બાબતોમાં નુકશાન કારક પણ સાબીત થઈ શકે છે. જેમાં ગુગલ ટવીટર ફેસબુક વોટસએપ જેવી એપ્પલીકેશનો આવવાથી માનવીને તમામ પ્રકારની સવલતો પ્રાપ્ત થઈ શકી છે, તેની સાથે સાથે ખુબ જ અડચણો પણ ઉત્પન્ન થઈ હોય એમ ચિલ્ડ્રન યુનિ. ખાતે આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. કૃણાલ એમ. પંચાલે પોતાનાં ભક્તકવિ નરસિહ મહેતા યુનિ. ખાતે પ્રસ્તુત શોધ નિંબધમાં સોશ્યલ મીડીયા અને ઈન્ટરનેટના વિકસીત સમયમાં લાભો અને તેનો દુષ્પ્રભાવ આલેખીત કર્યો હતો.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રાતાપસિંહ ચૈાહાણે શોધપત્ર રજુ કરનાર છાત્રને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે પોતાનું શોધકાર્ય કરવા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સફળતા પૂર્વક આજે સોશ્યલ મીડીયા અને ઈન્ટરનેટની વિદ્યાર્થી કાળે યુવા જગત અને બાળ માનસ પર થતી સામાજીક અને શૈક્ષણિક અસરો વિશે રજુ કરેલ શોધનિંબધ રજુ કરવા બદલ શુભકામનાં વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે ઇન્ટરનેટ સિસ્ટમ થકી વિશ્વભરના વિવિધ કમ્પ્યુટર નેટવકર્સ સાથે જોડાઇને માસ કોમ્યુનિકેશન, માસમીડિયા અને વાણિજ્યમાં ક્રાંતિ લાવી છે, અગાઉના સમયની ટપાલસેવાનું આધુનિક ઝડપી સ્વરૂપ ઈમેલ, વોટસએપ, ફેસબુક કે ગુગલ- ઈન્સ્ટાગ્રામે લીધુ છે. ઈન્ટરનેટનાં અનેકાનેક લાભો હોવા સામે સોશીયલ મીડીયાનાં સકારાત્મક ઉપયોગને બદલે રીલ્સ અને બિનજરૂરી એપ્લીકેશનોનાં ઉપયોગથી આજનું યુવાધન અને બાળ માનસ પર વિપરીત અસરો પણ ગંભીર બની રહી છે આજનાં રજુ થયેલ શોધપત્રમાં ડો. કૃણાલ પંચાલ દ્વારા જે નિષ્કર્ષ રજુ થયો તે દરેક વિદ્યાર્થીનાં વાલીએ સમજવા જેવો છે. આજે નાના-નાના ભુલકા અને યુવાનોને સોશીયલ મીડીયાનો જાણે કે નશો/આદત થઈ ગયો છે, તેઓ પણ આ જાળ માં ફસાવા લાગ્યા છે તેઓ તેઓનું શિક્ષણ મેળવવાનો સમય છે તે છતાં તેઓ પોતાને મળેલા સમય દરમ્યાન માત્ર સોશ્યલ મીડયા તરફ આકર્ષિત રહેતા હોય છે. જે દરેક વાલીગણે સમજવુ એટલુ જ આવશ્યક છે. દરેક વસ્તુના ફાયદા પણ હોય છે અને નુકશાન પણ આ વાત આજની સોશિયલ મીડિયા ક્રાંતિના વિશે કહી શકાય છે. અગણિત ફાયદા સાથે તેની ઘણા દુષ્પ્રભાવ પણ જોવાઈ શકે છે. જીવનને વ્યવસ્થિત કરવાની સાથે જ ઘણા સંબંધ અવ્યવસ્થિત પણ થઈ ગયા છે.
ડો. કૃણાલ પંચાલે જણાવ્યુ હતુ કે ઈન્ટરનેટનાં માધ્યમે જન-જન સુધીની દુરી તો દુર કરી છે, સાથે વૈશ્વિક વિકાસની દિશામાં ઉપયોગી બની રહ્યુ છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીઝન્સ દ્વારા જ્ઞાનનો મહાસાગર જાણે હથેળીમાં હોવાની પ્રતિતી થવા લાગી છે ત્યારે આજનાં વર્ગખંડમાં અભ્યાસને યુવાનો વર્ગશીક્ષક દ્વારા મળતા જ્ઞાનને આવકારી રહ્યા છે ઈ પણ એટલુ જ પ્રસ્તુત છે. આજના સમયે એક પણ દિવસ સોશિયલ મીડિયા વગર ક્લ્પના કરવી અઘરી બાબત બની રહી છે. ખાસ કરીને શહેરના લોકો અને યુવા વર્ગ તેના વગર નહી રહી શકતા. સોશિયલ મીડિયાનો જાદૂ લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે દુનિયાની મોટી જનસંખ્યા તેની ગિરફ્તમાં છે
આથી સોશીયલ મીડીયાનો વધારે પડતા ઉપયોગથી દુર રહી આપણે તેમજ આપણા બાળકના ભવિસ્ય બાબતે વિચારશીલ બનવુ જોઈએ જે લોકો સોશીયલ મીડિયામાં સમાય ગયા છે, કંઈક અંશે ફાયદાકાર સાબીત થતું હોય છે, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ધ્યાન ઘટાડવાનું કામ કરે છે. યાદશક્તિ, ભાષા શીખવાની ક્ષમતા અને માનસિક વિકાસ પર નકારાત્મક અસર કરે છે. આનાથી પ્રભાવિત બાળકો લાંબા સમય સુધી સતત અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આથી જ સંસ્કાર સાથે સાઇબર શિક્ષણ જરૂરી છે. પેરેન્ટ્સે ફોનને બદલે પ્રેમ આપવો જોઇએ. આજે પેરેન્ટ્સ બાળકોને સમય નહીં ફોન આપી દે છે. ઇન્ટરનેટનો વધુ વપરાશ અધિરાઇ નોંતરે છે, પેરેન્ટ્સે બાળકોના મિત્રો બનવાની જરૂર છે પોઝિટિવ પેરેન્ટિંગ દ્વારા બાળકો સાથે મિત્રતા કરી, તેઓને સોશિયલ મીડિયાની નેગેટિવ સાઇડ અંગે અવેર કરીને ભવિષ્યમાં ઊદભવનારા પ્રશ્નોથી બચાવી શકાય છે
રિપોર્ટર મહેશ કથીરિયા