લાઠી માં અર્હમ યુવાગ્રુપ રાજકોટ દ્વારા નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ગરીબ પરિવારો માં કેરી વિતરણ કરાય
લાઠી “ગરીબ પરિવારો ને કેરીનું વિતરણ.” આજરોજ લાઠીના પનોતા પુત્ર અને આપણા રાષ્ટ્રસંત પ.પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી, અને અર્હમ યુવાગ્રુપ રાજકોટ દ્વારા ગુરુદેવના માદરે વતન લાઠીમાં ગરીબ પરિવારો, અને જરૂરીયાત મંદ પરિવારોને લાઠીમાં કેસર કેરીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં દરેક ગરીબ પરિવારોને લાભ આપેલ હતો,આ સેવા કી કાર્ય ની અંદર લાલાભાઇ આહીર , નીતિનભાઈપાડા, પ્રકાશભાઈ ભુવા, બુધાભાઈ પાડા તેમજ જૈનવણિક સમાજના હર્ષદભાઈ વોરા, અને સુધીરભાઈ રાણપુરા એ આ સેવાકી પ્રવૃત્તિમાં સેવા આપવાનો લાભ લીધેલ હતો. લાઠીમાં આ અર્હમ ગ્રુપ રાજકોટ દ્વારા આ સમાચાર મળતા હર્ષ ની લાગણી છવાઈ છે. પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ ના આશીર્વાદથી આવા સેવાકીય કાર્યો નું સુંદર આયોજન કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા