Gujarat

લાઠી માં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રાહત દરે નોટબુકનું વિતરણ કરાયું

લાઠી માં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રાહત દરે નોટબુકનું વિતરણ કરાયું

લાઠી પારસ ધામમાં રાહત દરે ચોપડા નું વિતરણ
લાઠી કલાપી નગર માં આવેલ પારસ ધામમાં પ્રથમ વખત એક સાથે, એક સ્થળે, મેગા ફુલ સ્કેપ નોટબુકનું વિતરણ પ.પૂજ્ય લાઠીના પનોતા પુત્ર એવા રાષ્ટ્ર સંત પરમગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રાહત દરે નોટબુકનું વિતરણ તા.૦૮/૦૬/૨૫ રવિવારે સવારે ૯-૦૦ કલાકે અર્હમ યુવા સેવા ગ્રુપ લાઠી દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે લાઠીના વેપારી મંડળના પ્રમુખ મેઘાભાઇ ડાંગર, તથા નાયબ મામલતદાર મકવાણા તથા ચેમ્બર ઓફ કોમર્સના કમિટીના મેમ્બરો તથા લાઠી APMC વાઇસ ચેરમેન વજુભાઈ શંકર, તેમજ લાઠી મોબાઇલ એસોસિયન પ્રમુખ સુધીરભાઈ રાણપુરા સમ્રાટ વાળા, અર્હમગ્રુપના સેવાભાવી હર્ષદભાઈ વોરા, લાલભાઈ ચાડ, બાલાભાઈ મકવાણા, પ્રકાશભાઈ ભુવા, નીતિનભાઈ પાડા, બુધાભાઈ પાડા, બટુકભાઈ ડેર તમામ લોકોએ પોતાની સેવા આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ ને તેની માર્કશીટ ઉપર ૧૦ બુકનું રૂપિયા ૨૦ લેખે એક નંગ નો વિતરણ કરેલ.આથી દરેક વિદ્યાર્થી વર્ગમાં તેમજ વાલી વર્ગમાં આનંદની અનુભૂતિ વર્તાઈ હતી. આ અર્હમ સેવા ગ્રુપ દ્વારા ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે જે લાઠી શહેર માટે ગૌરવની વાત છે તેમ અર્હમ ગ્રુપ સેવાભાવી ગ્રુપ દ્વારા જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250608-WA0084-1.jpg IMG-20250608-WA0083-0.jpg