સાવરકુંડલા ખાતે આવેલ પંડિત દીનદયાળ (જનતા બાગ)નું સંચાલન કરતું તંત્ર દ્વારા આજના દિવસ પૂરતી પ્રવેશ ફી ન લેવામાં આવે તો ગરીબ અમીર અને મધ્યમ વર્ગના લોકો એક સાથે આ પંડિત દીનદયાળ બાગમાં હરવા ફરવા માટે કે માનસિક થાક દૂર કરવા માટે એક દિવસ પૂરતો તો લાભ લઈ શકે. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપવન અર્થાત્ જનતા બાગનું સંચાલન કરતાં તંત્ર દ્વારા આ પૂણ્યતિથિ દિવસ નિમિત્તે આ કરવા જેવું ખરું. આજના દિવસે બગીચામાં પ્રવેશ ફી નિઃશુલ્ક કરવામાં આવી હોત તો આ બગીચાનો લાભ ગરીબ વર્ગના લોકો પણ લઈ શકત..



તંત્ર ધારે તો આ કરી શકે. આમપણ વર્ષો પહેલાં આ જનતા બાગમાં પ્રવેશ માટે કોઈ શુલ્ક ક્યાં ચૂકવવું પડતું..?? આમ તો જાહેર સ્થળોએ હરવા ફરવા માટે આર્થિક માપદંડ યોગ્ય કહેવાય? શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ઉપવન પ્રવેશ ફી કમસે કમ આજના દિવસ પૂર્તિ ન લેવામાં આવી હોત તો આ બાગનો લાભ એક દિવસ પૂરતો તો તમામ વર્ગના લોકોને મળત. . આમ પણ સમરસતા અને સમાનતા આર્થિક માપદંડો પર પણ નિર્ભર હોય ખરાં? આ બગીચામાં પ્રવેશતાં જ તેના રમણીય દ્રશ્યો જોઈને જ માણસને માનસિક શાંતિનો અહેસાસ થાય છે.
આવા જાહેર સેવાનો સમ્યક લાભ લઈ શકાય અને આર્થિક માપદંડ નડતરરૂપ ન બને તો જ રામરાજયની પરિકલ્પના પણ સાકાર થઈ શકે ખરી.
બિપીન પાંધી સાવરકુંડલા