જૂનાગઢના ભવનાથના મેળામાં તંત્ર દ્વારા લાખો ભાવિકો માટે પીવાના પાણીની પાયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
શિવરાત્રિ મેળામાં ભાવિક ભકતો દૂર દૂરના સ્થળેથી આસ્થા સાથે ભવેશ્વર ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ભકતજનો, દિગંબર સાધુ, સંતોને પીવાના શુદ્ધ પાણીની સગવડતા મળી રહે અને તેમને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉનાળાની શરુઆત છે, બપોરના સમયે તાપમાન પણ વધુ રહે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પીવાના પાણીની વ્યવસ્થા થકી બપોરના ધોમ ધખતા તાપમાં મહાદેવના ભક્તો પાણીની તરસ સંતોષી રહ્યા છે.
મહાનગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા વધારાની ટાંકીઓ પણ મૂકવામાં આવી છે.