Gujarat

સેવા ને સત્કારતું શ્રી દામનગર લેઉવા પટેલ સમાજ સુરત

સેવા ને સત્કારતું શ્રી દામનગર લેઉવા પટેલ સમાજ સુરત

૪૨.મી વખત રક્તદાન કરતા વિપુલ નારોલા નું ભવ્ય સન્માન

સુરત અત્રે ઉલ્લેખનીય એ છે કે મુળ દામનગર ના વતની અને સુરત રહેતા લેઉઆ પટેલ ના પરિવારો નો ૨૯ મો સ્નેહમિલન સમારોહ યોજાયો
જેમાં મુક સેવક ને બોલતા હૈયા જય ભગવન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના વિપુલ નારોલા માત્ર રક્તદાન અભિયાન ની મુહિમ નેજ વેગ નથી આપ્યો પોતે પણ અસંખ્ય વખત રક્તદાન કરી માનવતા નો સુંદર સંદેશ આપ્યો છે ઉનાળા ની અસહ્ય ગરમી ના દિવસો માં રકતદાતા રકતદાન ઓછી માત્રા માં કરતા હોય છે તેથી કેમ્પ પણ ઓછા થતા હોય છે ત્યારે જરૂરીયાતમંદ દર્દી માટે રક્ત ની અછત સર્જાતી હોય છે આ અછત ને પહોંચી વળવા સુરતના સરદાર વલ્લભભાઈ બ્લડ સેન્ટર ના સથવારે પહેલી જૂન ૨૦૨૫ ને રવિવાર ના રોજ શ્રીજી ફાર્મ, વેડ રોડ, સ્વામિનારાયણ ગુરુકુળ સામે કતારગામ સુરત ખાતે સ્નેહમિલન સાથે રકતદાન કેમ્પ પણ યોજાયો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહમિલન માં શ્રી દામનગર પટેલ સમાજના પ્રમુખ શ્રી કરમસીભાઈ નારોલા પુર્વ પ્રમુખ કરસનભાઈ નારોલા બ્રીજેશ નારોલા તથા કમિટી ના આગેવાન શ્રી હિમંતભાઈ નારોલા, સંજયભાઈ નારોલા તથા દામનગર ના આગેવાનો, ડોકટરો, વડીલો, યુવાનો, માતાઓ બહેનો તેમજ મોટી સંખ્યા માં બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ સમારોહ અંતર્ગત મહા રકતદાન કેમ્પ ના મુખ્ય સ્પોન્સર સુરતની સેવા સંસ્થાન જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા રહી હતી જેના પ્રમુખ વિપુલભાઇ નારોલા એ ૪૨ મી વખત રકતદાન કરતા શ્રી દામનગર લેઉઆ પટેલ સમાજ પરિવાર સુરત દ્વારા ભવ્ય સત્કાર કરાયો હતો રકતદાન કેમ્પ ના માં કુલ મળીને ૧૨૫ થી વધુ રક્તદાતાઓએ માનવતા મહેકાવી આ સનેહોત્સવ ના આયોજકો, સંચાલકો અને સેવા ના સાથી રક્તદાતા ઓની સેવા ની સરાહના કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250608-WA0131-1.jpg IMG-20250608-WA0130-0.jpg