સાવરકુંડલા ખાતે આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે આજરોજ તા.૨૮/૦૨/૨૫ને શુક્રવારના ફાગણ સુદ એકમના રોજ કબીર ટેકરી મહંત શ્રી બિહારી સાહેબની ૧૯ મી પુણ્યતિથી નિમિત્તે કબીર ટેકરી ખાતે સવારે ૮:૩૦ કલાકે ભાવ ભક્તિપૂરણ વાતાવરણમાં પૂજા આરતી કરવામાં આવેલ જ્યારે ૧૨:૦૦ કલાકે મહા ભોજન પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.સદગુરુ શ્રી બિહારી સાહેબે સાવરકુંડલામાં આવી અનેક યુવાનોને નવી દિશા આપી હતી.સદગુરુ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ ભારે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

