સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સંસ્કાર વિધિ સંપન્ન
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા શાંતિકુંજ યુગ ઋષિ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ અને પૂજ્ય માતાજી ભગવતીજી પ્રેરિત વૈદિક પરંપરા નાં મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે યજ્ઞ નારાયણ દેવ ની ઉપસ્થિતિ
વચ્ચે અનેક સદભાગ્યશાળી પરિવારો એ પોતા પરિવાર માં દિવ્ય સંસ્કારો નો ધર્મલાભ મેળવ્યો હતો જેમાં સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભ સંસ્કાર ૧૭ તેજસ્વી વિદ્યા અભ્યાસ માટે વિદ્યારંભ ૧૩ નવજાત શિશુ ઓનાં નામકરણ જન્મ દિવસ અનનપ્રાશન મુંડન ગુરૂ દીક્ષા ઉપનયન(ઉપવેશન) કર્ણવેધ એમ કુલ મળી ૩૨ પરિવારો માં સંસ્કાર વિધિ તા.૦૮/૦૬/૨૫ ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ, પ્રજ્ઞા હોલ, ભાતવાડી, મીની બઝાર, વરાછારોડ, સુરત.ખાતે યોજાયો હતો પૂજ્ય યુગ ઋષિ ગુરુદેવ રચિત યજ્ઞ નારાયણ દેવ ની સાક્ષી માં દિવ્ય સંસ્કાર વિધિ સંપન્ન થયો હતો જેમાં સગર્ભા ધાત્રી માતા ઓને દિવ્ય
સદસાહિત્ય ની ભેટ અપાઇ હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા